________________
શ્રી પન્નવણા સૂત્ર શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર
પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી
આજે મારે માટે પન્નવણાજી સૂત્ર ઉપર બોલવાનો વારો આવ્યો છે પણ હું તો કેટલો બધો અભણ છું. અહીં વિદ્યમાન વિદ્વાનું અને જ્ઞાની ગુરુદેવોની સામે આવા આગમ ઉપર બોલવાનું મારું ગજું નહિ છતાં પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીનો આગ્રહ થયો અને મિત્ર-બંધુતાના નાતે હું ના કહી શક્યો નહિ...મને કશું આવડતું નથી છતાં થોડું ઘણું જે કંઈ બોલું છું ભૂલ-ચૂક બદલ પહેલેથી જ મિચ્છામિ દુક્કડમ્ આપી દઉં છું.
આ પન્નવણા સૂત્ર એ સમવાયાંગ સૂત્રનું ઉપાંગ છે. અગિયાર અંગોમાં ભગવતીજી સૂત્ર ઘણું મોટું છે તેમ બાર ઉપાંગોમાં આ પન્નવણાસૂત્ર ઘણું મોટું છે.
આ સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી મલયગિરિજી આદિ મહાપુરુષોની સુંદર ટીકાઓ રચાઇ છે અને શ્રી કુલમંડણગિરિજીએ અવચૂરી રચી છે.
આ મહાઆગમમાં ૩૬ વિભાગો છે. એને પદ કહેવાય છે એના નામ આ મુજબ છે.
પ્રજ્ઞાપના પદ
સંજ્ઞા પદ પ્રયોગ પદ કર્મપ્રકૃતિ પદ પશ્યત્તા પદ સ્થાન પદ
યોનિ પદ લેશ્યા પદ ક્રમબંધ પદ સંજ્ઞા પદ અલ્પબહુર્વ પદ ભાષા પદ કાયસ્થિતિ પદ કર્મવેદ પદ સંયમ પદ સ્થિતિ પદ
શરીર પદ સમ્યકત્વ પદ કર્મવેદબંધ પદ અવધિ પદ પર્યાય પદ
પરિણામ પદ અંતક્રિયા પદ કર્મપ્રકૃતિ વેદ પ્રવિચારણા પદ વ્યુત્ક્રાંતિ પદ કષાય પદ અવગાહન પદ આહાર પદ વેદના પદ
ઉચ્છવાસ પદ ઇન્દ્રિય પદ ક્રિયા પદ ઉપયોગ પદ સમુદ્યત પદ
સ્યાદવાદથી સંવાદ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org