________________
ચોથી પ્રતિપતિ :- જેમાં એકેન્દ્રિયાદિ સંસારી જીવોના ૫ ભેદોનું વિસ્તારથી સમજાવ્યાં છે. પાંચમી પ્રતિપતિ :- પૃથ્વીકાયાદિ ૬ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. છઠ્ઠી પ્રતિપતિ :- નરક, તિર્યંચ, તિર્યંચ સ્ત્રી, મનુષ્ય, મનુષ્યની સ્ત્રીઓ, દેવો, દેવીઓ એ રીતે ૭ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. સાતમી પ્રતિપતિ :- સંસારી જીવોના ૮ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે પ્રથમ સમયના નારકો, અપ્રથમ સમયના નારકો તે પ્રમાણે મનુષ્યો, તિર્યંચો અને દેવો. આઠમી પ્રતિપત્તિ :- જેમાં પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એ રીતે ૯ ભેદો વિસ્તારથી કહ્યા છે. નવમી પ્રતિપત્તિ :- પ્રથમ સમયના એકેન્દ્રિયો, અ પ્રથમ સમયના એકેન્દ્રિયો તે રીતે બે ઇન્દ્રિયાદિના ૨-૨, ભેદો ગણતા કુલ ૧૦ ભેદોનું સ્વતૃપ છેલ્લે સિધ્ધાદિની સ્વરૂપ જણાવ્યું છે.
આ ઉપાંગસૂત્રના મૂળગ્રંથનું પ્રમાણ ૪૭૦૦ શ્લોકો કહ્યા છે.
આ સૂત્રની ઉપર યાકિની મહત્તરાસુનુ ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૫૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિના આધારે ૧૧૯૨ શ્લોકો પ્રમાણે “પ્રદેશવૃત્તિ” નામની ટીકા બનાવી હતી. જેમાં ફક્ત સૂત્રના કઠિન પદોની જ ટીકા રચી હોય તે “પ્રદેશવૃત્તિ” કહેવાય. તે પ્રાયઃ છપાઇ નથી. તેના આધારે જ શ્રી મલયગિરિ મહારાજે ૧૪૦૦ શ્લોક પ્રમાણ મોટી ટીકા બનાવી છે એમ તેમના ''શાહ મૂન ટાર' વગેરે વચનોથી જણાય છે.
Coup
અનેકાન્તથી ક્રાન્તિ-આગમ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org