SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ ઘણું વિસ્તારીને કહેલું છે તેમજ અજીવના ભેદ પ્રભેદોનું પણ વર્ણન કર્યું છે તેથી તે “જીવાજીવાભિગમ’' નામથી પણ ઓળખાય છે આ રીતે તેના બન્ને નામો ઘટી શકે આ સૂત્રની વિશેષતા એ છે કે અહીં પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણા કરી છે. એ જ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપના (પક્ષવણા) સૂત્ર નામના ચોથા ઉપાંગમાં પણ પ્રશ્નોત્તર રૂપે પદાર્થોની પ્રરૂપણા કરી છે. આ સૂત્રમાં સૂર્યાભદેવની જેમ અહીં વિજયદેવની હકીકત વિસ્તારથી કહી છે બાકીના ભાગમાં જીવ અજીવની હકીકત જણાવી છે શ્રી નંદિસૂત્ર અને સૂત્રમાં આ સૂત્રને ઉત્કાલિક સૂત્રોમાં ગણ્યું છે તથા આને શરૂઆતમાં અધ્યયન તરીકે કહ્યું છે અને છેવટે સૂત્ર તરીકે પણ જણાવ્યુ છે અહીં દ્રવ્યાનુયોગની બીના કહી છે. શ્રી સ્થવીર ભગવંતે પહેલાં ટૂંકમાં અજીવના ભેદ પ્રભેદાદિનું વર્ણન કર્યું છે તે પછી વિવિધ પ્રકારના જીવોના વિચારો વિસ્તારથી વર્ણવ્યાં છે અહીં છઠ્ઠા સૂત્રમાં સિધ્ધ અને સંસારી એમ બે ભેદોનું સ્વરૂપ કહીને સાતમા સૂત્રમાં મુક્ત એટલે સિધ્ધ ભગવંતોનું વર્ણન કર્યું છે. આઠમા સૂત્રમાં અનુક્રમે નવ પ્રતિપત્તિઓ (અધ્યયન વિભાગ) જણાવી છે. તેમાં જીવના બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ભેદોનું વર્ણન ક્રમસ૨ કર્યું છે. જીવોનું અને અજીવોનું સ્વરૂપ વિસ્તારથી જાણવાનું આ ઉપાંગ સૂત્ર અપૂર્વ સાધન છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ વગેરે મહાપુરુષોએ શ્રી જીવવિચારાદિ પ્રકરણ વગેરેની રચના કરી હતી તે આ ત્રીજા ઉપાંગ વગેરેના આધારે જ કરી છે શ્રી સ્થાનાંગ સૂત્રમાં ટૂંકમાં કહેલ જીવાદિની બીના અહીં વિસ્તારથી કહી છે માટે જ આ સૂત્ર ત્રીજા અંગનું ઉપાંગ સૂત્ર છે. જેમ બીજા આગમોમાં શતક, ઉદ્દેશ વગેરે તથા અધ્યયન, પ્રકાશ વગેરે જણાવ્યા છે તેમ અહીં સૂત્રકારે જીવોનું સ્વરૂપ જણાવતા ૯ વિભાગ પાડ્યા છે. તે દરેકનું ‘‘પ્રતિપત્તિ’’ નામ જણાવ્યું છે. પહેલી પ્રતિપતિ :- જેમાં સંસારી જીવોના સ્થાવર અને ત્રસ આ બે ભેદોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. બીજી પ્રતિપત્તિ :- જેમાં સ્ત્રી, પુરુષ, નપુંસક આ રીતે ત્રણ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી વર્ણન સમજાવ્યું છે. ત્રીજી પ્રતિપત્તિ :- જેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ સંસારી જીવોના ૪ ભેદોનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પર Jain Education International અધ્યાત્મનો પૂર્ણ અધ્યાય-આગમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy