SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧ર૦ શ્લોકો છે. આ સૂત્ર ઉપર શ્રી મલયગિરિ મહારાજે ૩૭૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. તે બહુ સરળ અને સ્પષ્ટ (સમજાય તેવી) છે. આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર નામના બીજા અંગનું ઉપાંગ સૂત્ર છે. જે ઉપાંગમાં રાજાના પ્રશ્નોની સાથે સંબંધ ધરાવે છે તે રાજપ્રક્રીય નામ છે, ઉપાંગ સૂત્ર કહેવાય છે જેમાં આમલકલ્પા નગરી વગેરેનું, શ્વેત નામના રાજા, ધારિણી રાણી, સૂર્યાભદેવ અને તેની સ્મૃધ્ધિનું વર્ણન, ૩ર પ્રકારના નાટકોનું સ્વરૂપ ને અંતે કુટાગારનું દૃષ્ટાંત, સૌધર્માવિમાન તેની પીઠિકા અને ઉપપાત વગેરે પાંચ સભાઓ તે દેવે કરેલી જિનપૂજા વગેરે બીજા વિસ્તારથી પ્રદેશ રાજાનું જીવન જણાવતા તેનું આસ્તિકપણું અને મહાવિદેહ મોક્ષે જવું વગેરે વિસ્તારથી જણાવેલ છે. આ ઉપાંગમાં ૮૫ સૂત્રો છે. પ્રદેશ રાજાની બોધદાયક બીના વર્ણવી છે. પ્રદેશી રાજા અને કેશી ગણધરનો સંવાદ શ્રી કેશીગણધર ભ. એ શ્રી પાર્શ્વનાથ ભ. મુખ્ય ગણધર ભ. નથી. પરંતુ તેઓના શિષ્ય કે પ્રશિષ્ય છે એટલે ત્રીજી કે ચોથી પાટે આવે છે. એમ ઐતિહાસિક ગ્રંથોમાં કહ્યું છે. પ્રદેશ રાજાએ કેશીગણધર ભ. ને પૂછેલ દશ પ્રશ્નો અને તેના સચોટ ઉત્તરો સાંભળી સત્યાગ્રાહી અને સરળ હોવાથી રાજા આસ્તિક બન્યો. કામભોગમાં આસક્ત સૂર્યકાંતા રાણી રાજાને મારવાનો ઉપાય ચિંતવવા લાગી. પુત્રને કહેવું. પુત્રનું મૌન છળ દ્વારા ભોજનમાં વિષ અસહ્ય વેદના રાણીનું કામ છે એમ જાણવા છતાં તેના ઉપર કોપ ન કર્યો. સ્વયમેવ પૌષધાગારમાં જઇ સંથારા ઉપર પૂર્વાભિમુખ બેસી શકસ્તવ મનમાં ભણી મનમાં પોતાના ધર્માચાર્યને સંભારી જાવજીવ સુધી સર્વ પાપસ્થાનોને વોસિરાવી સમાધિમાં કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં સુર્યાભ વિમાનને વિષે ચાર પલ્યોપમના આયુષ્યવાળો મહાદ્ઘિક દેવ આમ મા ૩૬ દિવસ સુધી શ્રાવક ધર્મની આરાધના કરવાથી સાડા બાર લાખ યોજનાના વિસ્તારના વિમાનને વિષે પ્રદેશ રાજા ઉત્તમ દેવપણું પામ્યો. અવધિજ્ઞાને પોતાના સમ્યકત્વના કારણભૂત પૂર્વભવની બીજા અહીં વીર પ્રભુની પાસે નાટક કરી સ્વસ્થાને ગયો. દેવાયુ પૂર્ણ કરી હાદિ પામી દીક્ષા લઇ મોક્ષે જશે. શ્રીજીવાભિગમ સૂત્ર આ સૂત્ર ત્રીજા શ્રી સ્થાનાંગ સૂત્રનું આ શ્રી જીવાભિગમ સૂત્ર ઉપાંગ છે. આ સૂત્રનું જીવાભિગમ સૂત્ર નામ પ્રસિદ્ધ છે કારણ કે અહીં જીવનું अत्र आराधना dar, છે કે पहा ઉr અભયનો સાગર-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy