________________
બહુજ સરળ ૩૧૨૫ શ્લોક પ્રમાણ ટીકા રચી છે.
ઉપપાત શબ્દના બે અર્થ - ૧) દેવ-નારક જીવોનો જન્મ ૨) મોક્ષમાં જવું.
ઉપપાતને લક્ષ્યમાં રાખીને જેમાં પદાર્થોનું સ્વરૂપ કર્યું છે તે શ્રી ઔપપાતિકસૂત્ર કહેવાય જેમાં ૧) શ્રેણિક મહારાજનું વર્ણન. ૨) પ્રભુવીરની સ્તુતિ તથા વર્ણન - પ્રભુનો પરિવાર ૩) શ્રી મહાવીર પ્રભુને શ્રી ગૌતમસ્વામીએ વિનયાદિ વિધિ સાચવી પૂછેલા પ્રશ્નો.
૪) અંબડ પરિવ્રાજકનો અધિકાર - ૭૦૦ શિષ્યો લાંબી અટવીમાં પાસનું પાણી ખૂટી ગયું. બીજું પાણી ન મળ્યું. અનશન સ્વીકાર કર્યું પ્રભુવીરની સાક્ષીએ સર્વવિરતિ ધર્મ ઉચ્ચરવો, બહ્મ દેવલોકે ૧૦ સાગરોપમના આયુષ્યવાળું દેવપણું પામવું. અંબડ પરિવ્રાજકની વૈક્રિય લબ્ધિનાં પ્રભાવ જણાવીને પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે તે આ ભવમાં દીક્ષા લઇ શકશે નહિ - ઘણા વર્ષો શ્રાવકપણું પાળીને બ્રહ્મદેવલોક ૧0 સાગરોપમ આયુષ્યવાળું દેવપણું અનુભવીને મહાવિદેહમાં ઉત્તમકુળમાં જન્મ દઢપ્રતિજ્ઞ નામ ધારણ કરી ભરયુવાનીમાં પણ કામથી વિરકત થશે. વૈરાગ્યથી દીક્ષા લઇ આરાધીને કેવળજ્ઞાન પામી છેલ્લે માસિક અનશન કરી અંતે સિધ્ધિપદ પામશે.
આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ (નિંદા) વગેરે આશાતના કરનાર જીવો કિલ્બિષિક દેવપણું પામે છે. જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩ સાગરોપમ હોય છે. પ્રભુ વીરના પરિવારનું આયુષ્ય :૧) સિધ્ધાર્થ રાજા - ૮૭ વર્ષ ૨) ત્રિશલાદેવી – પ૮ વર્ષ ૩) નંદિવર્ધન - ૯૮ વર્ષ ૪) સુદર્શના ધેન - ૮૫ વર્ષ ૫) પ્રિયદર્શના પુત્રી - ૮૫ વર્ષ ૬) ઋષભદત્ત બ્રાહ્મણ૧૦૦ વર્ષ ૭) દેવાનંદા બ્રાહ્મણી – ૧0૫ વર્ષ ૮) સુપાર્થરાજા - ૯૦ વર્ષ ૯) પ્રભુવીર૭૨ વર્ષ.
આ ઉપાંગનું જ્ઞાન ધરાવનાર મુનિઓ જ દ્વાદશાંગીનું ખરું રહસ્ય સમજી શકે છે. કારણ કે અંગ સૂત્રોમાં જ્યાં જ્યાં નગરી, રાજા, વનખંડ, યક્ષનું ચૈત્ય, પ્રભુનું સ્મરણ, દેશના વગેરેનું વર્ણન આવે છે ત્યાં ત્યાં તે તે બીના સંપૂર્ણ રીતે સમજવા માટે “જહા ઉજવાઇએ” પદથી ઓપપાતિક સૂત્રની ભલામણ કરી છે.
રાયપરોણીય સુત્તા આ સૂત્રના મૂળ ગ્રંથનું પ્રમાણ ૨૦૭૯ શ્લોક કહ્યા છે બીજા ગ્રંથોમાં
માધ્યસ્થનો માર્મ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org