________________
જિતવ્યવહાર = ૧૪ થયા. હવે આગળ સાંભળીએ પૂ. સિંહસેનસૂરિ મ. ના વરદ મુખે.
શ્રી ઉવવાઇ સૂત્ર જિન ભોજન ભૂમિ વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશ રચના ગણધર સાર, સો આગમ સુણતાં છેદી જે ગતિચાર, જિનવચન વખાણી લીજે ભવનો પાર.
આગમના છ વિભાગ - ૧) અંગ, ૨) ઉપાંગ, ૩) છેદસૂત્ર, ૪) પન્ના, ૫) મૂલસૂત્ર, ૬) પ્રકીર્ણક (અનુયોગ દ્વારા અને નંદિસૂત્ર).
જેમ શરીરમાં હાથ મસ્તક આદિ અંગો અને આંગળી વગેરે ઉપાંગો હોય છે તેમ શ્રી ગણધરાદિ પૂજ્ય પુરુષોએ શ્રી જિન પ્રવચન રૂપ (શરીર) દેહના શ્રી આચારાંગ સૂત્ર વગેરે બાર અંગો અને તે બારે અંગોના શ્રી ઔપપાતિક સૂત્ર વગેરે ૧ર ઉપાંગો કહ્યા છે. ઉપાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે. સ્પષ્ટ રીતે (સરળ પદ્ધતિએ સમજાવે છે માટે જ કહ્યું છે. “મંાઈ સ્પષ્ટ વોઘવિઘાયન ઉપનિ” ૧૨ અંગના ૧૨ ઉપાંગો : અંગ ઉપાંગ
અંગ ઉપાંગ ૧) શ્રી આચારાંગ સૂત્ર - શ્રી ઓપપાતિક સૂત્ર ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર - શ્રી રાજપ્રશ્નીયસૂત્ર ૩) શ્રી ઠાણાંગ સૂત્ર - શ્રી જીવાભિગમ સૂત્ર ૪) શ્રી સમવાયાંગ સૂત્ર - શ્રી પન્નવણા સૂત્ર પ) શ્રી ભગવતી સૂત્ર - શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર - શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮) શ્રી અંતકૃતદશાંગ સૂત્ર - શ્રી નિરયાવલિકા સૂત્ર ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર શ્રી કલ્યાવસંસિકા સૂત્ર ૧૦) શ્રી પ્રવ્યાકરણ સૂત્ર - શ્રી પુષ્યિકા સૂત્ર ૧૧) શ્રી વિપાક સૂત્ર - શ્રી પુષ્પચૂલિકા સૂત્ર ૧૨) શ્રી દષ્ટિવાદ સૂત્ર - શ્રી વાલ્બિદશા સૂત્ર
બાર ઉપાંગો પૈકી ચોથા ઉપાંગ સૂત્રની રચના શ્રી શ્યામાચાર્ય મહારાજે કરેલ. બાકીના ઉપાંગોની રચના કરનાર મહાપુરુષોના નામ મળતા નથી.
શ્રી ઓપપાતિક સૂત્ર - આ સૂત્રના મૂળગ્રંથનું પ્રમાણ ૧૧૬૭ શ્લોક પ્રમાણ જણાવ્યું છે. આની ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરીશ્વરજી મહારાજે
શું
કરુણાની ડેડી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org