________________
સમર્પણ શબ્દમાં ઉતરે તો સ્તુતિ બને
સત્ય શબ્દમાં ઉતરે તો સૂત્ર બને...
હવે એવું જ સંસારના સુખ દુઃખના સત્યને રજૂ કરતાં વિપાક સૂત્રની સૂત્રની ઉદ્દેશ વાચના શરૂ કરીએ...
વિપાકસૂત્ર :
જેટલી આરાધના તેટલો આનંદ/સુખ
જેટલી વિરાધના તેટલો આઘાત/દુઃખ.
આપણી બહિર્મુખતાથી-સંસાર-૨તિથી ચીકણા કર્મ બંધાય છે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્ર આશ્રવભાવના અને સંવરભાવના સંપન્ન જ્ઞાન આપે છે. તો વિપાક સૂત્ર સાંભળી સંસાર તરફ નિર્વેદ ન જાગે અને મોક્ષ તરફ સંવેગ ન થાયતો બોધિ દુર્લભ થવાય...
ભાવનાથી વધી આ સૂત્ર ધ્યાન તરફ પણ લઇ જાય છે... ધર્મધ્યાનના ભેદમાં વિપાકવિચય ધર્મધ્યાન આવે છે.
પહેલાં ૧૦ અધ્યયનમાં દુઃખ વિપાકનું વર્ણન છે.
ગૌતમસ્વામી ગુરૂ ભગવંત વહોરવા પધારે છે. એક આંધળો દેખાય છે. ગુરૂ ગૌતમ પ્રભુ વીરને પૂછે ચે ભગવન્ ! મે એક જાતિ અંધને જોયો એનું કારણ શું ? સાધુ જરાક પણ કંઇ થાયને ગુરૂ ચરણોમાં પહોંચી જાય.
પ્રભુ મૃગાપુત્રની માંડીને વાત કરે છે. ત્યાર બાદ
દુર્ગંધ મારતા ભોંયરામાં ગૌતમસ્વામિજી જાય છે. જોતાં અરેરાટ થઇ જાય. પુનઃ પ્રભુ પાસે આવે છે. પ્રભુ પૂર્વભવ સંભળાવે છે...
પૂર્વભવમાં નારકી હતો તેના પૂર્વભવમાં ગામનો રાણો હતો ૫૦૦ ગામનો અધિપતિ લોકો પર કરવેરા અને અત્યાચાર ગુજાર્યા ત્યાં ૨૫૦ વર્ષનું આયુષ્ય પાળીરીબાઇ રીબાઇ મરી નકમાં ગયો ત્યાંથી હાલ મૃગાપુત્રની યાતના ભોગવે છે.
૪૬
દેવદત્ત અધ્યયનમાં સિંહસેનને ૫૦૦ રાણી છે. શ્યામા માનીતી બાકીની ૪૯૯ તો અળખામણી છે. તે દરેકની માતાને શ્યામા અને જમાઇ સિંહસેન પર ઇર્ષ્યાદ્વેષ છે. આ વાત શ્યામાએ જાણી એને સિંહસેનને કાનમાં ફૂંક મારી કોક પ્રસંગે ૪૯૯ રાણીને એક સાથે સળગાવી મૂકી. પછી આ સિંહસેનના હાલ કેવા છે ?
Jain Education International
જીવનું અભેદ્યજ્ઞાન-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org