________________
આપણી આ દુર્ગધ પ્રત્યે જુગુપ્સાને લીધે જે દ્વારથી કાણાથી દુર્ગધ પ્રવેશે છે તે બંધ કરી દઈએ છીએ. આ દ્રવ્ય સંવર..
* પણ સાધુ માટે ઉત્તરાધ્યયનમાં બીજા અધ્યયનમાં સાધુ માટે જુગુપ્સી શબ્દ વાપર્યો છે. દુર્ગુણને આવતા રોકવા તે ભાવ સંવર... દુર્ગુણ પ્રત્યે જગુપ્તા ઉભી થશે ને સંવર થવા માંડશે.
પ્રાણાતિપાત મૃષાવાદ વિગેરે વર્ણન આ જૈન શાસનમાં છે તેવું જગતના એકે દર્શનમાં નથી. હિંસાનું સ્વરૂપ કારણ ફલ વિગેરે શાસન સિવાય ક્યાંય નથી. જેના પુણ્ય સ્મરણમાં આ આગમ વાચના છે. તો પૂ. સાગરજી મ. મરજીવા બની આ બધી વાતોનું સંશોધન કર્યું છે. આપણા સુધી પહોંચાડી છે.
હિંસાની વ્યાખ્યા શું ? ''પ્રાયોતિ પ્રાચપરોપur હિંસા''.
પરમાત્માના માર્ગથી ભટકવું એ પાપ છે. માર્ગમાં અટકવું એ પ્રમાદ છે. સાધુ જો ઉપયોગ પૂર્વક દંડાસનથી ચાલે છતાં જીવની કિલામણા કે વિરાધના થાય તો વિરાધના ન ગણાય કારણ પ્રમત્તયોગ ન હતો.
માટે જ વિધિ જયણાથી પૂજા થાય તો માત્ર સ્વરૂપ હિંસા, સાધુને નદી ઉતરવાની છૂટ છે. પહેલા મહાવ્રતનો અપવાદ શાસ્ત્રની ગવાહી છે. અરિણીકાપુત્રાચાર્ય હોડીમાં બેઠાં વૈરી દેવે ભાલાથી વીંધ્યા લોહની ધારા સમુદ્રમાં પડે છે. અપકાયના જીવની હિંસા થાય છે. છતાં ત્યાં પ્રમાદ નથી પસ્તાવો છે. માટે હિંસા ન હતી તેથી જ કેવળજ્ઞાન પ્રગટ્યું.
ચોથા મહાવ્રતમાં કોઇ જ અપવાદ નથી. જુઠું બોલનાર ૧૩ પ્રકારના વ્યક્તિઓનું વર્ણન આ આગમ ગ્રંથમાં છે.
નાસિક પુણ્યનું ફલ ન માનનાર - ઇંડા અને બ્રહ્માથી જગત્ની ઉત્પત્તિ ખોટો આક્ષેપ કરનાર કન્યાદિ બાબતમાં જૂઠું બોલનાર અનર્થ દંડનો ઉપદેશ દેનાર વિ. જેના વગર તમે જીવી શકો છતાં તેનો ઉપયોગ કરો તો અનર્થ દંડ. ટી.વી. ટેલિફોન કોમ્યુટર વિ. અનર્થ દંડના સાધન છે.
પછીના અધ્યયનમાં અદત્તાદાનનું ફળ ચોરિ વિગેરેનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. હવે બ્રહ્મચર્ય વ્રત.
એક વ્યવહારથી બ્રહ્મચર્ય અને એક નિશ્ચયથી બ્રહ્મચર્ય. ઉમાસ્વાતિજી મ. તત્વાર્થના ભાષ્યમાં ફરમાવે છે...
જ્ઞાનની વૃધ્ધિ માટે કષાયના ક્ષય માટે વ્રતના પાલન માટે “ગુરુકુલ
યામિની નિસરણી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org