________________
ધન્નાજી વિગેરેનું જીવન ચરિત્ર સાધુઓ માટેનું મહાન સૂત્ર : કુવવું મહાન”નો સૂત્ર સ્પર્શ સૂચવે છે. જ્યાં સુધી દેહ એજ દુઃખ છે. એ વાત સમજાય નહિ ત્યાં સુધી દેહને દુ:ખ અપાય નહિ દેહાધ્યાસ તૂટે નહિ.
પ્રશ્નવ્યાકરણ હવે પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્રનો ટૂંક પરિચય...
જેમ શબ્દોનું વ્યાકરણ છે તેમ આમાં પ્રશ્નોનું વ્યાકરણ છે. જેમાં પ્રશ્નોનું સ્પષ્ટીકરણ છે. આગમો જીવનને અજવાળવાનું માંજવાનું કામ કરે છે.
શરીરચર્યા આહારચર્યા દિનચર્યા આત્મચર્યાનું વર્ણન આપણા આગમોએ સૂક્ષ્મતાથી વિશદતાથી કર્યું છે. એથી વધીને આપણા પૂર્વજોએ ન્યાય નીતિ પ્રમાણે અર્થચર્યા કેવી રીતે કરવી તે પણ જણાવ્યું છે.
૧૦૮ પ્રશ્ન ૧૦૮ અપ્રશ્ન ૧૦૮ પ્રશ્નાપ્રશ્નનો ઉલ્લેખ છે. જે કાળ ક્રમે ભૂસાતો રહ્યો છે. એમ આનો પણ મહત્ત્વનો ભાગ ભૂંસાઇ ગયો છે. આ આગમમાં ભવનપતિ દેવો સાથે વાર્તાલાપ કરવાની પધ્ધતિ હતી ડાયરેક ડાયલીંગ થતું હતું.
અત્યારે તો તમે વધુ ભાગ્યશાળી છો. તમારી આંગળી પર છએ ઋતુઓ રમે છે. બહાર ઉનાળો હોય તો તમારા ફ્લેટમાં શીયાળો. બહાર શીયાળો હોય તો તમે હીટરથી ઉનાળે રમતા હો છો. બાથરૂમમાં બારેમાસ શાવરથી ચોમાસું...
જ્યારે પહેલાં તો વાતાનુકુલિત રૂમ ચક્રવર્તીને જ મળતાં. તમારા બાપદાદાઓ પંખો હાથથી નાંખતા તમે આજે વીચઓન કરીને મસ્ત..
આ આગમના ૧૦ અધ્યયનો બે ભાગમાં વહેંચાયેલા છે. પહેલાં પાંચ અધ્યયનો હિંસાદિ પાંચ આશ્રવોનું વર્ણન છે. બીજા પાંચ અધ્યયનમાં અહિંસાદિ પાંચ સંવરનું વર્ણન છે. આગમ સૂત્રોમાં સાધુને આશ્રયીને સાધુને લગતી વાતો કરવામાં આવી છે. સંઘ શ્રમણ પ્રધાન છે. શ્રમણ આગમ પ્રધાન છે સાધુ પાસે આગમોની ચાવી હોય છે. શ્રાવક સંઘ માટે જ તો સાધુના ચરણોમાં બેસી વાચનાઓ સાંભળવાની હોય છે.
બાર ભાવનાઓમાંથી આશ્રવ ભાવના અને સંવર ભાવનાને આ આગમ પ્રબળ વેગ આપે છે.
કોઇ મરેલુ જાનવર પડ્યું હોય માથું ફાડી નાંખે તેવી દુર્ગધ આવતી હોય તો આપણે નાક બંધ કરી દઇએ. કડવી દવા હોય તો આપણું મોટું બંધ થઇ જાય. ખરાબ અવાજ આવે તો કાન બંધ થઇ જાય. ખરાબ ચિત્ર આવે તો આંખ બંધ થઇ જાય.
ચિંતનનો ચિન્તામણી-આગમ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org