________________
સિધ્ધસેન દિવાકરજીએ સૂત્રોની ઘણી વ્યાખ્યા આપી છે. એમાં કહ્યું છે.. अस्मिन् शेते सूत्र राशिः इति सूत्रम्
સૂત્રકાર અનંત અર્થ રાશિને સૂત્રમાં પૂરે છે. ગૌતમસ્વામિ સુધર્માસ્વામીજી વિ. ગણધરો પૂર્વધરો સૂત્રકાર છે. તો સૂત્રમાં પૂરાયેલા અર્થોને બહાર લાવે તે વૃત્તિકાર પૂ. શીલાંકાચાર્ય હરિભદ્રસૂરિ મ. અભયદેવસૂરિ વિ.
આપણા આગમોમાં આવતો બહુ પ્રસિધ્ધ સૂત્ર શબ્દ 'માઉસંતે’’ના માર્મિક અર્થો વૃત્તિકારોએ કર્યા છે..
૧) આયુષ્કતા – આયુષ્યવાળા જેનું આયુષ્ય વધારે હોય તે પરંપરા લાંબી ચલાવી શકે માટે સ્તો ગુરુ ગૌતમસ્વામિએ પોતાની પરંપરાને પૂ. સુધર્મસ્વામિને સ્થાપીને ગયા. એક જ કારણ તેઓશ્રીનું આયુષ્ય વધારે હતું.
આગમની વૃત્તિમાં "પરાર્થનૃત્ય પ્રસ્તનાપુરચંતા’’ આસક્તિ વિના માત્ર પરાર્થ પરોપકારની વૃત્તિથી ૫૦ વર્ષ વાળો પણ આયુષ્યમાનું કહેવાય. આપણા ગણધરો આગમધરો આ અર્થમાં પણ આયુષ્યમાન્ હતા..
આઉસંતેણનો બીજો મહત્ત્વનો અર્થ કર્યો છે. “આમૃશતા જિજ્ઞાસાપૂર્વક પરમાત્મા સાથે સવિનય તત્ત્વોનો આમર્શ પરામર્શ કર્યો છે. આથી તેઓશ્રી પાસે અજ્ઞાન નથી.
“આવસતા” પરમાત્માના ચરણમાં ગુરુકુલવાસમાં વસતા. ગુરુથી મળે તે જ જ્ઞાન આગમની સાચી રીતે પ્રાપ્ત કરવામાં મેળવવામાં ગુરુકુલવાસ મહત્ત્વનું અંગ છે. ગુરુકુલવાસ આપણા પૂર્વજોના અહંકાર વિનાની સ્થિતિનું દર્શન/આદર્શ પૂરો પાડે છે.
યોગશતકમાં પૂ. સૂરિપુરન્દર હરિભદ્રસૂરિ મ. ગુરુકુલવાસને યતિનો/સાધુનો મૂલ ગુણ તરીકે બિરદાવ્યો છે. ફરમાવ્યો છે.
ગણધરશ્રી ગૌતમસ્વામિ પાસે સુધર્મારવામિજી પાસે.. પરાર્થ વૃત્તિથી આસક્તિ ન હતી.. તત્ત્વના પરામર્શથી અજ્ઞાન ન હતું.. ગુરુ કુલવાસથી અહંકાર ન હતો.. આવા આગમના એક એક અધ્યયનો આપણને અધ્યાત્મ તરફ દોરી જાય છે.
આપણે સહું આગમ વાચના પરિચય વાચના કરવા એકઠાં થયા છીએ... પરિચય વાચના એટલે “ઉદ્દેશ વાચના'' ગુર: સામાન્ય મિધાથી વચન''
ગુરુદેવની સામાન્ય પદાર્થનું દર્શન માત્ર કરાવનારી વાચના..
દમનો દરવાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org