________________
પછી કંસે વસુદેવ દેવકીને નજર કેદ રાખ્યા. એના છ પુત્રો મરેલા જન્મ્યા. સાતમા કૃષ્ણને વૃંદાવન લઇ જવાયાની વાત જાણીતી છે. વાસ્તવમાં ભદ્દીલપુરના નાગ શ્રેષ્ઠિનીના શ્રાવિકા સુલસાને મૃતપુત્રો જન્મતા. દેવકીના પુત્રો અને મૃત પુત્રોની અદલા બદલી દેવ દ્વારા થાય છે છ પુત્રો શ્રી નેમનાથ પ્રભુ પાસે દીક્ષા લે છે. પ્રભુની સાથે દ્વારિકા પધારે છે. જોગાનુજોગ બબ્બેના સંઘાટમાં અનુક્રમે છએ મુનિઓ દેવકીના ત્યાં વહોરવા પધાર્યા. છએના ચહેરા એકદમ સમાન હોવાથી દેવકીને લાગ્યું કે એના એ જ મુનિરાજો માર્ગ ભૂલવાના કારણે કે અન્યત્ર ગોચરી ન મળવાથી પધાર્યા છે. પણ મુનિરાજોને પૂછ્યું ત્યારે ખબર પડી કે - છએ સગા ભાઇઓ છે. અને પરમાત્મા શ્રી નેમનાથ ભગવાને જ્યારે જણાવ્યું કે આ છએ દેવકીના પુત્રો છે ત્યારે દેવકીને આનંદ થયો. સાથે અફસોસ થયો કે સાત પુત્રોમાંથી એકને પણ ધવડાવવા, ૨માડવા વગેરેની મારી ભાવના પૂર્ણ ન થઇ શકી. કૃષ્ણમહારાજાએ દેવતાની આરાધના કરી અને આઠમા પુત્ર વૈરાગી થયા. મુનિ બન્યા. સોમિલસસરાએ ખેરના અંગારા માથે મુક્યા અને ગજસુકુમાલ અંતકૃત કેવલી બન્યા. છ પુત્રો દેવકીના શત્રુંજય પર સાધના કરી મોક્ષે પધાર્યા. આવા અનેક અનેક પુણ્યાત્માઓના નામ જીવન કવન અંતકૃતદસાંગ ગ્રંથમાં આવે છે.
૩૬
Jain Education International
માર્ગની ઉપાસના-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org