________________
આવી વાત ન હોવી જોઇએ. છદ્મસ્થ છીએ. ભૂલ થઇ શકે. પણ, મિચ્છામિ દુક્કડ આપવામાં વાર ન લગાડીએ. આનંદ શ્રાવક પોતાના જયષ્ઠ પુત્રને સ્વજનોની હાજરીમાં બધી જવાબદારી સોંપી પોતે વ્યવહાર વેપારમાંથી નિવૃત્ત બની ધર્મ આરાધનામાં વિશેષ પણ જોડાયા છે. આજના શ્રાવકોએ પણ નિવૃત્તિ વહેલી તકે મેળવવી જોઇએ.
મોટા ભાગના શ્રાવકોને ધર્મપત્નીઓ અનુકૂળ મળે છે. પણ, મહાશતક નામના શ્રાવકજીની રેવતી નામની પત્ની આમાં અપવાદ છે. એ ભોગ વિલાસ અને મોજ મજાની આસક્ત છે. શ્રાવકજી પૌષધ લઇને બેસે તે એણીથી સહન ન થતાં દારૂના નશામાં ચકચૂર બની તોફાન મચાવે છે ત્યારે શ્રાવકજીથી બોલાઇ જાય છે તારું મોત સાતમા દિવસે છે. અને તું નરકમાં જવાની છે... સવારે પ્રભુ મહાવીરે કહ્યું - મહાશતક, સત્ય પણ અપ્રિય ન બોલાય. રેવતીને તેં જે કહ્યું તેનું મિચ્છામિ દુક્કડું આપ. મહાશતકે પ્રભુ આજ્ઞા તહત્તિ કરી સ્વીકારી. આ પ્રસંગ હંમેશા યાદ રાખવા જેવો છે. ચોર ને પણ ચોર કહેવાની જિનશાસનમાં ના છે. સત્ય પણ કડવું ન હોવું જોઇએ, કોઇને અહિતકર ન હોવું જોઇએ. માટે ખાતરી કરીને પછી જ બોલવું.
આઠમું અંગ અંતગડદસા છે. આઠે કર્મોનો અંત કરી અંતકૃત કેવલી બનેલા પુણ્યપુરુષોના નામો આ અંગમાં છે. ટુંકુ જીવન અણસણ કરી મોક્ષે ગયા છે. ગજસુકુમાળ જેવા કેટલાક અન્યત્ર અંતકૃત કેવલી થયેલા મહાપુરુષોના પણ અહીં વર્ણન છે.
અંતકતની વ્યાખ્યા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજાએ તત્રીત્તઃ ભવાન્તઃ તો વિદિતો તે અત્તતા: ભવનો અંત કરે તે અંતકૃત.
પ્રારંભમાં ગૌતમ નામના અંતકૃત ભગવંતનું વર્ણન છે. તેઓ યદુકુળના અંધકવૃષ્ણિ - ધારિણીના પુત્ર હતા. આઠ કન્યા સાથે લગ્ન થયેલા. શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી વૈરાગી બની દીક્ષા લીધી. ભિક્ષુની બાર પ્રતિમા વહન કરી. ગુણરત્નસંવત્સર તપ કર્યો. આ તપમાં પહેલા મહિને ચોથભક્તના પારણે ચોથ ભક્ત, બીજા મહિને છઠ્ઠના પારણે છઠ્ઠ...એમ સોળમાં મહિને સોળભત્તા સુધી ચડવાનું હોય છે. દિવસે સૂર્યાભિમુખ, રાત્રે ઉકડુઆસને રહેવાનું હોય છે. તેઓ શત્રુંજય તીર્થ પર માલિકી સંલેખના અણસણ કરી મોક્ષે પધાર્યા.
દેવકીના છ પુત્રોની પણ અહીં રોચક કથા છે. જરા સંઘની પુત્રી જીવયશા પોતાના સંસારી દિયર મુનિને નશામાં પરેશાન કરે છે. મુનિ કહે છે કે દેવકીના લગ્ન
પ્રસંગે આ ધમાલ ચાલે છે તેનો સાતમો ગર્ભ તારા પતિ કંસનો વધ કરશે. આ
વિચારવું વિશ્વ-આગમ
*****
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org