________________
જીભનો સ્વાદ પોષવાની કે બીજી કોઇ બાબત એમાં ન જ હોવી જોઇએ.
આ રીતે જ્ઞાતાધર્મકથાંગમાં જુદી જુદી ઘણી કથાઓ દ્વારા સુંદ૨ બોધ મળે છે. ચાર અનુયોગમાં આ અંગ કથાનુયોગ વિભાગમાં આવે છે.
સાતમું અંગ ઉપાસકદસા છે. ભગવાન મહાવીરપ્રભુના દસ શ્રાવકોનું આમાં વર્ણન છે. ઉપાસકોની દશા અવસ્થાનું વર્ણન છે, એ અર્થમાં પણ અને ૧૦ ના અર્થમાં દસા શબ્દ લઇ શકાય. સામાન્ય રીતે આગમોમાં મહદંશે સાધુ જીવનના આચારોનું વર્ણન મળે છે ત્યારે ઉપાસકદસાંગમાં શ્રાવકજીવનનો પરિચય છે. એટલે આ આગમ શ્રાવકોના માટે બહુ જ મહત્ત્વનું છે.
આનંદ વગેરે શ્રાવકો પ્રભુ પાસે જાય છે અને શ્રાવકોના ૧૨ વ્રતો સમ્યગ્ દર્શન સાથે ઉચ્ચરે છે એનું વિશદ વર્ણન આ અંગમાં છે. ૧૨ વ્રતો અને અતિચારોનું સુંદ૨ વર્ણન અહીં જોવા મળે છે. આનંદ વગેરે શ્રાવકો ધનાઢ્ય હતા. એ વખતની પ્રચલિત પદ્ધતિ મુજબ આનંદ શ્રાવક ૪ ક્રોડ સોનામહોર ધંધામાં, ૪ ક્રોડ નિધિ તરીકે, ૪ ક્રોડ ખર્ચ માટે.
=
૧૦ હજાર ગાયો વાળા ચાર ગોકુલ, હજાર ગાડાં, ૮ વહાણ વગેરેની મર્યાદા રાખે છે.
એક વાર ગણધર ભગવાન ગૌતમ સ્વામિજી જ્યારે વાણિજ્ય ગ્રામમાં છઠ્ઠના પારણે વહોરવા પધાર્યા ત્યારે આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયાનું સાંભળી આનંદના ઘરે જાય છે. તપ કરવાના કારણે આનંદનું શરીર કૃશ થઇ ગયું છે. ઉઠી શકતો નથી. ગૌતમ સ્વામિજીને વંદન કરે છે. અને અવધિજ્ઞાન દ્વારા ઉપર સૌધર્મ દેવલોક, નીચે લોલુક નરકાવાસ સુધી જોઇ શકે છે વગેર અવધિજ્ઞાનની અવિધ જણાવી. ગૌતમસ્વામિજી કહે આનંદ ! શ્રાવકનું અવધિજ્ઞાન આટલી વિસ્તૃત મર્યાદાનું ન હોઇ શકે. તમે મિથ્યાદુષ્કૃત આપો. આનંદ કહે ગણધર ભગવંત ! જિનશાસનમાં સાચાનું મિચ્છામિ દુક્કડં આપવાનું હોય કે ખોટાનું ? ગૌતમસ્વામિજી આ સંશયનું નિવારણ કરવા પ્રભુના ચરણોમાં પહોંચ્યા, પ્રભુ કહે ગૌતમ ! આનંદ સાચું કહે છે. તમારે મિથ્યા દુષ્કૃત આપવાનું છે. ગૌતમસ્વામિજી તરત પહોંચ્યા આનંદ પાસે. મિચ્છામિ દુક્કડં આપ્યું. પ્રભુના પટ્ટ શિષ્ય પણ પોતાની ભૂલની ક્ષમાપના કશી આના-કાની કે સંકલ્પ વિકલ્પ કર્યા વિના કરતા હોય ત્યારે આપણે આપણી ભૂલને કદી પણ છાવરવાનો પ્રયત્ન ન કરવો જોઇએ. એક ચિંતકે કહ્યું છે કે - કોઇ પણ માણસ માટે સહુથી અઘરા શબ્દો છે ‘મારી ભૂલ થઇ ગઇ.' પણ, જિનશાસનને પામેલા માટે
વિશ્વનો વિચાર-આમમ
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org