________________
બાળકનું શબ મળ્યું. ચોરીના માલ સાથે ચોર પકડાયો. જેલમાં પૂર્યો. શેઠ શેઠાણીને ઘણો આઘાત લાગ્યો. થોડા સમય બાદ ધન્ય શેઠ કોઇ ગુનામાં પકડાતાં એમને કેદની સજા થઇ. વિજયચોરની સાથે જ એક જ બેડીમાં શેઠને બાંધવામાં આવ્યા. લઘુનીતિ વડીનીતિમાં બન્નેને એક બીજાનો સહકાર જરૂરી હતો. શેઠના ઘરેથી ટીફીન આવ્યું. એમાં મિષ્ટાન્ન ફરસાણ વગેરે જોઇ વિજયચોરનું મન લલચાયું. એણે થોડું આપવા કહ્યું. પણ શેઠ કહે તું તો મારા પુત્રનો ખૂની છે. વધે તો કૂતરાને નાંખી દઉં પણ તને ન આપુ... પણ શેઠને સંડાસ જવાની તરત ઇચ્છા થઇ. ચોર કહે મેં તો લુખ્ખ સુકું ખાધું છે. મારે સંડાસ નથી જવું. શેઠને જવાની ઉતાવળ હતી. એ કરગરવા માંડ્યા. ચોર કહે આવતીકાલથી તમારા ટીફીનમાં મારો અડધો ભાગ કબૂલ કરો. શેઠે ન છૂટકે કબૂલ
કર્યો.
શેઠાણીને ખબર પડી કે અડધો ભાગ પુત્રના ખૂનીને શેઠ આપે છે એ નારાજ થઇ ગયા. શેઠ કેદમાંથી છૂટ્યા. બધા અભિનંદન આપવા લાગ્યા. શેઠાણી બોલતા પણ નથી. શેઠે જ્યારે પરિસ્થિતિ સમજાવી ત્યારે શાંત થયા.
આ કથાનો ઉપનય આ પ્રમાણે છે. શેઠ તે જીવ, ચોર તે શરીર. જીવ શરીર જોડે બંધાયેલો છે. પરાધીન છે. એના સહકાર વિના આરાધના સાધના શક્ય નથી માટે એ દુશ્મન તુલ્ય હોવા છતાં એને આહારાદિ આપવા પડે. પણ શરીરને તાજુ માજુને તગડું બનાવવા ભોજન કરવાનું નથી આ વાત દરેક સાધકે સતત ખ્યાલમાં રાખવાની
ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિમાં કહ્યું છે કે
આ બાબતમાં ૧૮ મા સુષમાં અધ્યયનમાં માર્મિક વાત કરી છે. ડાકુ બનેલા ચિલાતી પુત્ર પોતાના પાલક શેઠના ઘરે ધાડ પાડી સુષમાનું અપહરણ કરે છે. શેઠ અને એમના પુત્રો જંગલમાં પીછો કરે છે. સુષમાને ખભે ઉપાડી ભાગવું અશક્ય લાગતાં એનું માથું કાપી ચિલાતીપુત્ર ભાગી છૂટે છે. શોકવિહ્યલ શેઠ પુત્રો સાથે પુત્રીનું ધડ લઇ પાછા ફરતાં જંગલમાં ભૂલા પડે છે. ઘોર જંગલમાં ભોજન વિના ચાલી શકાય તેવું નથી... શેઠ કહે હું ઘરડો છું મને મારીને તમે જીવન બચાવો. છેવટે સુષમાના મૃતક દ્વારા જીવન બચાવ્યું. અહીં પુત્રીના કે બહેનના મૃતકનું માંસ ખાવાનું કોઇને ન ગમે પરંતુ વિકટ પરિસ્થિતિમાં આપદ માગે. આ પગલું લીધું છે. માત્ર જીવ બચાવવાનો
ઉદ્દેશ છે. મજા બિલકુલ નથી. પારાવાર દુઃખ છે. તેમ અનેક જીવોની હિંસાથી જ તેયાર થતું ભોજન શરીર ટકાવવા અનિવાર્ય હોવાથી સાધુ ભોજન કરે. પરંતુ
સ્વભાવનો આર્વિભાવ-આગમ
કર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org