________________
આ અંગના પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાતા અને બીજા શ્રુતસ્કંધનું નામ ધર્મકથા છે. અને આ બે શ્રુતસ્કંધોના નામનો આધારે પ્રસ્તુત અંગનું નામ જ્ઞાતાધર્મકથા પડ્યું જણાય છે.
પહેલા શ્રુતસ્કંધમાં ૧ અબજ ૨૧ કરોડ અને બીજા ગ્રુતસ્કંધમાં ૧ અબજ ૨૫ કરોડ કથા હોવાનો નિર્દેશ મળે છે.
વર્તમાનમાં આ ગ્રંથ ૫૪૫૦ શ્લોકપ્રમાણ મળે છે. ટીકાનું પ્રમાણ ૩૮૦૦ શ્લોક પ્રમાણ છે. સિંધુમાંથી બિંદુ આપણા નસીબે બચ્યું હોય તેમ અત્યારે બીજા શ્રુતસ્કંધોમાં અનુક્રમે ૧૯ અને ૨૦૬ અધ્યયનો મળે છે.
આ અંગનું ગદ્ય રોચક અને વર્ણનાત્મક છે. કાદંબરી અને વાસુદેવહિંડી જેવું.
પ્રથમ અધ્યયનનું નામ ઉત્સપ્તિ છે. મેઘકુમારે પૂર્વભવમાં હાથીના ભાવમાં સસલાની રક્ષાર્થે પગ ઉંચો કર્યો એટલે આ અધ્યયનનું નામ ઉક્ષિપ્ત છે.
જાતિસ્મરણજ્ઞાન થતાં જ મેઘકુમારને આંચકો લાગે છે. હું કેવો દેહભાવમાં આસક્ત કે સંથારામાં મુનિ ભગવંતોની ચરણરજ ખટકી ! હવે આ દેહભાવમાંથી જલ્દી મુક્ત થવું છે. એ જ ક્ષણે કહ્યું ! પ્રભો ! હવે ક્યારેય આ શરીરની ચિંતા કરીશ નહીં. આંખ સિવાય કોઇ પણ અંગમાં ગમે તે થાય, શલ્યાદિ પેસી જાય હું પરવા નહીં કરું. સુંદર સાધના કરી મુનિ અનુત્તરમાં દેવ થયા. '
બીજું અધ્યયન સંઘાટક નામનું છે. આ અધ્યયનની કથા ઘણી રોચક છે. એનો ઉપનય તો અદભુત છે.
કથા આ પ્રમાણે છે.
રાજગૃહી નગરીમાં ધન્ય શેઠ રહે છે. સંપત્તિની કમીના નથી પણ ખોળાનો ખૂંદનાર નથી. સંતાન પ્રાપ્તિ માટે પત્થર એટલા દેવ કર્યા... વર્ષો પછી ભદ્રા શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો. નામ રાખ્યું દેવદિન. લાડકોડમાં ઉછરતા દેવદિને એક દિવસ પંથક નામનો નોકર નગરમાં લઇ ગયો. તહેવારનો દિવસ હોવાથી બધાં બની ઠનીને આવેલા. દેવદિત્રને એકના બાળ મિત્રો જોડે ગોષ્ઠી કરતો જોઈ પંથક એના મિત્ર જોડે વાતે વળગ્યો. એવામાં દેવદિન આગળ જતો રહ્યો. કોઇ નિર્જન રસ્તા ઉપરથી પસાર થતાં દેવદિત્રને જોઇ વિજય નામના ચોરની દાનત બગડી. દેવદિત્રનું અપહરણ કર્યું. દાગીના વગેરે, લઇ લીધા. મારીને શબ કુવામાં ફેકી દીધું. દિવદિન્ન ન દેખાતાં
પંથક હો હા કરી. શેઠ શેઠાણી દોડી આવ્યા. સૈનિકાએ સઘન તપાસ આદરી.
જો કીકી વિભાવનો પરાભવ-આગમ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org