________________
શ્રી જ્ઞાતધર્મકથા શ્રી ઉપાસકંદશાંગ સૂત્ર
શ્રી અંતકૃdદશાંગ સૂત્ર
પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ
શ્રી જ્ઞાતાધર્મકથા છઠ્ઠું અંગ છે.
આ અંગનું પરિમાણ પાંચ લાખ છોંતેર હજાર પદ પ્રમાણ હોવાનું શ્વેતાંબર માન્ય આગમોમાં જણાવેલું છે.
આચારાંગનિયુક્તિ (ગાથા ૧૧), નંદીસૂત્ર ઉપરની હારિભદ્રીવૃત્તિ (પૃ. ૭૬), નંદીસૂત્ર ઉપરની ચૂર્ણિ (પૃ. ૬૨), સમવાયાંગ સૂત્રની શ્રી અભયદેવસૂરીયા વૃત્તિ (પૃ. ૧૦૮) આદિમાં આચારાંગસૂત્રનું પદપ્રમાણ ૧૮૦૦૦ પદનું અને આગળના અંગોનું બેગણું પરિમાણ હોવાનું જણાવ્યું છે. એટલે બીજા અંગના ૩૬૦૦૦, ત્રીજાના ૭૨૦૦૦, ચોથાના ૧૪૪૦૦૦, પાંચમાના ૨૮૮૦૦૦ અને છઠ્ઠાના જ્ઞાતાધર્મકથાંગના પ૭૬૦૦૦ થાય તે બરાબર છે.
દિગંબર માન્ય ગ્રંથો ધવલા, જયધવલા, ગોમ્મદસાર, અંગપણત્તિ વગેરેમાં પપ૬૦૦૦ જણાવ્યા છે ને લિપિદોષ હોય કે શરતચૂક હોય તેમ જણાય છે.
નવ્યકર્મગ્રંથોના રચયિતા આ.શ્રી. દેવેન્દ્રસૂરિ મ.સા. એ પહેલા કર્મગ્રંથની ૭મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે - પદ એટલે અર્થસમાપ્તિ. પરંતુ આચારાંગ વગેરે ગ્રંથોના ૧૮૦૦૦ વગેરે પદ જણાવ્યા છે તે પદનું પરિમાણ કેટલું તે જણાવનાર કોઇ આમ્નાય પરંપરા અમારી પાસે નથી.
દિગંબર જૈનોના માન્યગ્રંથ જયધવલા વગેરેમાં વગેરે પદના ૩ પ્રકાર બતાવ્યા છે. ૧ આઠ અક્ષરનું પ્રમાણ પદ, ૨ અર્થબોધ થાય તે અર્થ પદ, અને ૧૬ અબજ, ૩૪
કરોડ, ૮૩ લાખ, સાત હજાર ૮૮૮ અક્ષરનું મધ્યમ પદ બને છે.
સર્વને માન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org