SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસુંદરજીએ છપાવેલા થોકડા (પહેલા થોકડાઓની હસ્તપ્રતો હતી) તેને મોઢે હતા. માત્ર સાંભળીને કંઠસ્થ કરેલું. મુનિઓ શ્રુતધર કહેવાય તો શ્રોતાઓ શ્રુતિધર કહેવાય. એકાગ્ર હોય તો જ આવું થઇ શકે. ભગવતીને જયકુંજર ગંધહસ્તીની ઉપમા આપી છે. પૂ. લબ્ધિસૂરિજીએ ગંધહસ્તી વગેરેના વિશેષણોમાં જ ૪ મહિના પૂરા કરી દીધેલા. ગંધહસ્તી પાસે બીજા હાથી ન ટકે તેમ ભગવતી પાસે બીજા વિઘ્નો ન ટકે. આ મંગળ છે માટે જ વારંવાર ભગવતી વંચાતુ રહેતું. જુદા હોવાનો અનુભવ ક૨વો એ જ મોહ છે. જીવાસ્તિકાય કહે છે આપણે એક છીએ. લોક સ્વરૂપ ભાવના પણ આ જ છે. હિન્દુસ્તાનના બધા નાગરિકો ભારતીય તરીકે એક તેમ જીવત્વ રૂપે આપણે બધા એક. કહે છે. ગુજરાતી વગેરે તરીકે અલગ, તેમ ભેદ નયંથી જીવ ભિન્ન પણ ગણાય. તમે દેહરૂપ છો, તેમ વિશ્વરૂપ પણ છો. તેની સંવેદના કરો, એમ ભગવાન ‘અરૂપી' એટલા માટે કહેવાય કે પહેલા રૂપ જ દેખાય. શબ્દાદિ પછીથી સંભળાય. દા.ત. વીજળીનો પ્રકાશ પહેલા દેખાય ગર્જના પછી સંભળાય. ધર્મ એટલે પરોપકાર. જે બીજાને ઉપયોગી નથી બનતો તે ધર્મી નથી. ધર્મી બળવાન સમૃદ્ધ સારા. પાપી નિર્બળ - દરિદ્ર સારા. વ્યાખ્યાનમાં માળા ગણો તે ન ચાલે, ઊંધો તો હજુ ચાલે. કેમકે ઊંઘમાં આવે ઝોખા ! એ દ્વારા ય અમને ઝૂકો તો ખરા.. (હસાહસ) ઊંઘતી વખતે કમ સે કમ અમારા શબ્દો તો કાનમાં પડશે. માળા ગણવામાં તે તમારા કાન જ બંધ થઇ જાય છે. એ ન ચાલે. Jain Education International આ રીતે ભગવતીની સૂત્રનો બહુ સંક્ષિપ્ત પરિચય થયો. સ્વનું સ્થાન-આગમ QA For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy