________________
વાણીને પુષ્કરાવર્તની ઉપમા આપી. પુષ્કરાવર્તમાં એવો ગુણ છે કે એકવાર વરસ્યા પછી ૨૧ વર્ષ સુધી પાક થયા જ કરે.
ભગવાન ૩૦ વર્ષ બોલ્યા તેના ૧૦થી ૧૧ હજાર દિવસ થાય. તેના પ્રભાવે જ ભગવાનનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે.
આપણે બધા ખેતી કરીએ છીએ, પણ હૃદયની જમીનમાં ધર્મનો પાક થાય છે તે ભગવાનની વાણીરૂપ પુષ્કરાવર્તનો પ્રભાવ છે. આપણા બોલવાના કારણે થાય છે, એવો આપણો ભ્રમ છે, તે આથી તુટી જાય છે.
ગુરુ પાસેથી સાંભળેલું જ ભીતરનું પ્રગટ કરાવે છે.
આપણે ત્યાં શ્રુત શબ્દ છે વેદોને ‘શ્રુતિ’ કહ્યા છે.
સાંભળવાથી જ કાનની યોનિમાં શબ્દો પડવાથી આધ્યાત્મિકતાનો જન્મ થાય. સાંભળેલાનું જ મહત્ત્વ છે. બાળકો પણ સાંભળીને જ ભાષા શીખે છે.
ભગવાન બોલ્યા તેની જ આકૃતિ ઉભી થઇ તે બ્રાહ્મી. ભૈરવી રાગ ગાવ તો ભૈરવી, વાગીશ્વરીથી સરસ્વતીની મૂર્તિ રેતીમાં દોરાઇ જાય, એમ તજજ્ઞો કહે છે.
'નમો મુખ્રસ્ત ।’
શ્રુત એટલે સાંભળેલું. માત્ર વાંચેલું નહિ.
મૂળ શબ્દ છે બ્રહ્મ. બ્રહ્મ એટલે પરમાત્મા એમનાથી બોલાયેલું તે બ્રાહ્મી. બ્રાહ્મી ભગવાનનો અક્ષર દેહ છે. જે અવિનાશી છે. શ્રુત બીજને નમસ્કાર પછી બ્રાહ્મી લિપીને પણ અહીં નમસ્કાર થયો છે.
ભગવતીનો આટલો મહિમા કેમ ?
આમાં ચતુર્વિધ સંઘના તમામને પ્રશ્ન કરવાનું સ્થાન મળ્યું છે. મુખ્ય ગૌતમ સ્વામી છે, તેમ જયંતિ શ્રાવિકા વગેરે બીજા પણ છે.
જયંતિ, શતાનીક રાજાની સગી બેન હતી.
ભક્તોમાં સુલસા આગળ હતી તેમ જિજ્ઞાસામાં જયંતી આગળ હતી. તે પર ‘જયંતી ચર્યા’ ગ્રન્થ અભયદેવસૂરિયે બનાવેલો છે, તે સાધ્વીઓ પણ
અણુવિજ્ઞાનના સિદ્ધાંતો પણ ભગવતીમાંથી શોધાયા છે. જે પ્રગટ પણ
અમારા સુમેરપુરના ચાતુર્માસમાં એક શ્રાવિકા કહેતાં. મારાં સાસુ અભણ. પણ ૪૫ આગમોના બોલ તેમને કંઠસ્થ હતા.
પરમતત્વનું પ્રતિષ્ઠાન-આગમ
વાંચી શકે.
થયા છે.
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org