________________
માટે જ આચારાંગમાં કહ્યું
'सच्चंसि नाम तुमेव जं हंतवंति मंन्नसि' જેને મારે છે તે તું જ છે, એમ સાચું માનજે.
આ તો માત્ર નમૂનો બતાવ્યો છે, વિશેષ તમારે જાણવું હોય તો ભગવતીનો પાઠ ચાલે જ છે. પાઠમાં આવી જજો.
આ ભગવતીમાં જૈનેતર સંન્યાસીઓ પણ ભગવાનને પ્રશ્ન પૂછવા આવે છે. પછી નિ:શંક બનીને દીક્ષિત બને છે.
જયંતિ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે ધર્મ જાગતા ભલા અધર્મી ઉઘતા ભલા.
આપણે સૂતા ભલા કે જાગતા ?
આ જ રીતે ધર્મી બળવાન ભલા અધર્મી નિર્બળ ભલા. અધર્મી પાસે બળ હોય તો બીજાના જ નહિ, પોતાના પણ વિનાશનું કારણ બને.
આ ભગવતીમાં તુંગીયા નગરીના શ્રાવકોનું વર્તન વગેરે કહીને કરવામાં આવ્યું છે. ૪૫ આગમો સાંભળવાનો તો શ્રાવકને પણ અધિકાર છે. માટે જ શ્રાવકો કહેવાયા છે.
અહીં બેઠેલા બાલ મુનિઓ વગેરે આગમ કંઠસ્થ કરવાની પ્રતિજ્ઞા લેશે તો આનંદ થશે.
બાકીની બધી વાતો હેમચન્દ્રસાગરસૂરિજી કરશે. પૂજ્ય હેમચન્દ્રસાગર સૂરિજી :
નાદુરસ્ત તબીયત હોવા છતાં પૂજ્યશ્રીએ પોણો કલાક તત્ત્વ પીરસ્યું. પૂજ્યશ્રી પાકા વેપારી છે.
પૂજ્યશ્રી ફરમાવે છે સાધુ સાધ્વીજીઓએ એક વર્ષ દરમ્યાન આવશ્યક અથવા દશવૈકાલિકની બધી જ ટીકાઓ વગેરે વાંચવું. હું પહેલા હાથ જોડું. મારી સાથે બીજા કેટલા હાથ જોડશે ?
પૂજ્યશ્રીએ જે ફરમાવ્યું તે ઘણાને નહિ પણ સંભળાયું હોય તેથી તેનો સાર પૂજ્ય ધુરંધર વિજયજી ફરમાવશે. પૂજ્ય મુનિરાજશ્રી ધુરંધર વિજયજી :
પૂજ્યશ્રીની વાતને થોડી યાદ કરી લઇએ.
આમ પણ સાંભળ્યા પછી શાસ્ત્રમાં ધારણાની વાત છે જ. ભગવાનની
જ
આનંદનું અનુષ્ઠાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org