SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જ આચારાંગમાં કહ્યું 'सच्चंसि नाम तुमेव जं हंतवंति मंन्नसि' જેને મારે છે તે તું જ છે, એમ સાચું માનજે. આ તો માત્ર નમૂનો બતાવ્યો છે, વિશેષ તમારે જાણવું હોય તો ભગવતીનો પાઠ ચાલે જ છે. પાઠમાં આવી જજો. આ ભગવતીમાં જૈનેતર સંન્યાસીઓ પણ ભગવાનને પ્રશ્ન પૂછવા આવે છે. પછી નિ:શંક બનીને દીક્ષિત બને છે. જયંતિ શ્રાવિકાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે ધર્મ જાગતા ભલા અધર્મી ઉઘતા ભલા. આપણે સૂતા ભલા કે જાગતા ? આ જ રીતે ધર્મી બળવાન ભલા અધર્મી નિર્બળ ભલા. અધર્મી પાસે બળ હોય તો બીજાના જ નહિ, પોતાના પણ વિનાશનું કારણ બને. આ ભગવતીમાં તુંગીયા નગરીના શ્રાવકોનું વર્તન વગેરે કહીને કરવામાં આવ્યું છે. ૪૫ આગમો સાંભળવાનો તો શ્રાવકને પણ અધિકાર છે. માટે જ શ્રાવકો કહેવાયા છે. અહીં બેઠેલા બાલ મુનિઓ વગેરે આગમ કંઠસ્થ કરવાની પ્રતિજ્ઞા લેશે તો આનંદ થશે. બાકીની બધી વાતો હેમચન્દ્રસાગરસૂરિજી કરશે. પૂજ્ય હેમચન્દ્રસાગર સૂરિજી : નાદુરસ્ત તબીયત હોવા છતાં પૂજ્યશ્રીએ પોણો કલાક તત્ત્વ પીરસ્યું. પૂજ્યશ્રી પાકા વેપારી છે. પૂજ્યશ્રી ફરમાવે છે સાધુ સાધ્વીજીઓએ એક વર્ષ દરમ્યાન આવશ્યક અથવા દશવૈકાલિકની બધી જ ટીકાઓ વગેરે વાંચવું. હું પહેલા હાથ જોડું. મારી સાથે બીજા કેટલા હાથ જોડશે ? પૂજ્યશ્રીએ જે ફરમાવ્યું તે ઘણાને નહિ પણ સંભળાયું હોય તેથી તેનો સાર પૂજ્ય ધુરંધર વિજયજી ફરમાવશે. પૂજ્ય મુનિરાજશ્રી ધુરંધર વિજયજી : પૂજ્યશ્રીની વાતને થોડી યાદ કરી લઇએ. આમ પણ સાંભળ્યા પછી શાસ્ત્રમાં ધારણાની વાત છે જ. ભગવાનની જ આનંદનું અનુષ્ઠાન-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy