________________
આપણે સૌ એક છીએ. જીવાસ્તિકાયના બીજા બધા (પુદગલાસ્તિકાય વગેરે) આદિ સેવકો છે. કર્તુત્વાદિ શક્તિ જીવ સિવાય બીજે ક્યાં છે ? જીવાસ્તિકાયનો શબ્દાર્થ
જીવ = જીવો અસ્તિ = પ્રદેશો.
કાય = સમૂહ. અહીં વિદ્વાનો ઘણા છે. હું કાંઇ ન આપે તો મારો કાન પકડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી જીવાસ્તિકાય પાંચ પ્રકારે છે. * દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવ દ્રવ્યરૂપ છે. તેમાં બધા જ જીવો આવી ગયા.
(થોડો ભલે કંટાળો આવે, પણ આ જાણવા જેવું છે.) ક્ષેત્રથી લોકવ્યાપી કાળથી અનાદિ અનંત, નિત્ય શાશ્વત.
કોઇ કાળ નથી જ્યારે જીવાસ્તિકાય ન હોય. આ બધા દ્રવ્યો સહાયક બને છે. કદાચ એક માત્ર આપણે સહાયક નથી બનતા. આ વિશ્વમાં અસ્તિત્વ ટકાવવું હોય તો બીજાને સહાયક બનવું જ પડશે. એ વિના અસ્તિત્વ રહે જ નહિ. સમજીને સહાયતા કરીએ તો લાભ છે નહિ તો વિશ્વ વ્યવસ્થા પ્રમાણે અનિચ્છાએ પણ સહાયતા કરવી જ પડશે.
ભાવથી જીવાસ્તિકાય અવર્ણ, અગંધાદિ. પુદગલાસ્તિકાય સિવાય સૌ અરૂપી છે.
જીવ અસંખ્યપ્રદેશી, પણ જીવાસ્તિકાય અનંત પ્રદેશી. કારણ કે જીવો અનંત છે. સર્વ જીવોનો સંગ્રહ જીવાસ્તિકાય છે. જીવો અનંત હોય તો પ્રદેશો તો અનંત હોય જ.
એનો અર્થ એ થયો કે પ્રદેશોથી આપણે એક છીએ.
જીવાસ્તિકાયમાંથી એક જીવને બાદ કરીએ તો જીવાસ્તિકાય કહેવાય ? ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન કહે છે ના, ન કહેવાય. એક પ્રદેશ પણ બકાત રાખીએ તો પણ જીવાસ્તિકાય ન કહેવાય.
ભગવાન પણ આ જીવાસ્તિકાયમાં સાથે છે ને કહે છે હે જીવ! તું મારા જેવો જ છે.
એક જીવ જ નહિ, જીવના એક પ્રદેશને પણ સતાવીએ તો એ આપણી જ સતામણી બની રહેશે. આપણા શરીરના એક અંગૂઠાને પણ પીડા આપો તો એ
તમારી જ છે, બીજા કોઇની નહિ.
-
સત્યનું અધિષ્ઠાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org