________________
ભગવાન પર જેટલો આદર બહુમાન વધશે તેટલા આગમોના રહસ્યો સમજાશે. પૂ. જિનચન્દ્રસાગર સૂરિજીએ સૌને ગવડાવ્યું જિમ જિમ અરિહા સેવીએ રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા. પૂજ્યશ્રી દેવ ગુરુની ભક્તિથી જ્ઞાન પ્રગટશે. હું પોતે ભણેલો નથી. મારાથી વધુ ભણેલા અહીં છે.
ભક્તિના પ્રભાવથી જે અર્થ રે તેથી મને પણ આનંદ આવે. ધ્યાન વખતે અર્થો સ્ફરે. ભગવાનને પૂછવા જવું ન પડે. ભગવાન પોતે આવીને કહી જાય, એવો અનુભવ થાય.
મીરાંને કૃષ્ણ દૂર નથી. ભક્તને ભગવાન દૂર નથી. ભગવાન દૂર છે એવી ભ્રમણા તોડવી જ રહી.
કદાચ કોઇ સૂત્રનો વિશિષ્ટ અર્થ સ્કૂરી જાય તો ભગવાનનો પ્રભાવ માનજો, પોતાનો નહિ.
[નો માવિષ્ટ કહી બ્રાહી લીપીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : બ્રાહ્મી લિપિને નમસ્કાર કેમ ?
પૂજ્યશ્રી શ્રુતજ્ઞાનના એકેક પ્રકાર પ્રત્યે આદર છે. બ્રાહ્મી લિપિમાં દ્રવ્યશ્રુત છે. દ્રવ્ય વિના ભાવશ્રુત નહિ પ્રગટે.
લિપિ અક્ષરરૂપ છે. ન ફરતિ અક્ષરમ્ ! તીર્થકર આવે ને જાય, પણ અક્ષરો તો રહે જ.
ભાવશ્રુત જેટલું જ દ્રવ્યકૃતનું બહુમાન કરવાનું છે.
જ્ઞાનની મુખ્યતા હોય ત્યારે ચારિત્ર અને ધ્યાન એમાં જ અનુસૂત છે, એમ સમજવું. એ જ્ઞાન જ્ઞ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા રૂપ સમજવું.
ભચાઉમાં ભગવતીનું વાંચન ચાલતું ત્યારે હું એક સ્થળે જરા ચમકેલો. કારણ કે તેમાં લખેલું જીવાસ્તિકાય અનંતપ્રદેશ છે. પણ પછી ખ્યાલ આવ્યો આ તો અનંત જીવોની વાત છે. આવો જ અનંતા હોય તો પ્રદેશો તો અનંતા હોય જ ને ?
ભગવતીના પાઠમાં આવેલું દ્રવ્યાત્મામાં સર્વ જીવો આવી ગયા. દ્રવ્યાત્મા રૂપે આપણે સૌ એક છીએ.
આપણે બીજાને ભિન્ન માનીએ છીએ, પણ જીવાસ્તિકાય કહે છે
વિખવાદનું અવસાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org