________________
ટકેલું છે ને ટકશે.
ભગવતી એટલે દ્રવ્યાનુયોગનો ખજાનો ! જો કે આમ તો આમાં ચારે ય અનુયોગો છે પણ મુખ્ય દ્રવ્યાનુયોગ છે. આ આકરગ્રંથ છે. જેના વખાણ ખુદ ગણધરોએ કરેલા છે, મંગલાચરણ પણ તેમણે કર્યું નમો સુઅસ્ત નમો આ મંગળ શી રીતે ? પંચ પરમેષ્ઠિ તો છે નહિ.
શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનીને છોડીને ક્યાંય નથી રહેતું. તેમનો નમસ્કાર મંગળ જ ગણાય. ખરેખર તો જિનાગમ અને જિન એક જ રૂપે છે.
“જિનપ્રતિમા જિન સારિખી’ એમ બોલીએ છીએ, પણ જિન પ્રતિમા સાક્ષાત્ જિન લાગે છે ? મને પણ હજુ એવો ભાવ નથી લાગતો. મૂર્તિ જ શા માટે ? ભગવાનનું નામ પણ ભગવાન છે. મૂર્તિ પણ ભગવાન હોય તો આગમ તો સુતરાં ભગવાન ગણાય.
આગમ ન હોત તો મુક્તિ માર્ગ શી રીતે ચાલત? માત્ર સંકેત ઇશારાથી ન ચાલત. ભાષાથી જ સ્પષ્ટ બોધ થાય.
આ ભગવતીમાં ૪૧ શતક છે.
જીવનભર ચિંતન મનન કરીએ તો જીવનના બધા પ્રશ્નો હલ થઇ જાય. ૨૦ વર્ષ પહેલા પૂ. માનતુંગસૂરિજી પાસે વાચના લીધેલી. તે પહેલા બેડામાં પૂ.પં. ભદ્રકર વિ.મ. પાસેથી લઇ વ્યાખ્યાનમાં બોલતો.
ગોયમા” શબ્દ પર સોનામહોરો મૂકનારા ભાવિકો પણ આપણા શાસનમાં થયેલા છે. - અમને સમજાવી સમજાવીને આગમ માટે બાધાઓ આપવામાં આવેલી.
પૂ. હેમચન્દ્રસાગર સૂરિજી : હવે આપ આપો. પૂજ્યશ્રી : એટલા માટે તો આવ્યો છું.
અહીં (ભગવતીમાં) માત્ર ગૌતમસ્વામી જ નહિ, જયંતી જેવી શ્રાવિએ પણ પ્રશ્નો કરેલા છે..
પ્રશ્નકર્તા ગૌતમસ્વામી કેવા? પ્રથમ પોરસીમાં સૂત્ર, બીજીમાં મર્થરૂધ્યામાં કોઠામાં રહેનારા.
અર્થ એટલે નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે બધાનો અભ્યર્મ એટલે અધ્યયને “અક્ષીણ' પણ કહ્યું છે. કારણ કે એટલા અર્થ નીકળે કે જે દી રે જૂહ. અક્ષીણ
એટલે અખૂટ !
i૨-બાગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org