________________
> શ્રી ભગવતીજી સૂગ
પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણ સૂરિજી
અવતરણ - ગણિ મુક્તિ) મુનિચન્દ્રવિજય | સર્વના હિત માટે ભગવાને તીર્થસ્થાપના કરી. ભગવાન પુષ્કરાવર્ત મેઘની જેમ વરસ્યા છે. આજે પણ તેનો પ્રભાવ અનુભવી શકાય છે. ભગવાનનો છે, તેમ ભગવાનની ૩૫ ગુણયુત વાણીનો પણ અતિશય છે. પુષ્કરાવર્ત મેઘ પછી ૨૧ વખત ધરતી પર પાક થયા કરે, તેમ ભગવાનની વાણીથી ર૧ હજાર વર્ષ સુધી શાસન ચાલ્યા કરશે. પરંપરાએ એ વાણીનો પ્રવાહ ચાલ્યા જ કરશે. * પ્રભુના અનુગ્રહનો આ જીવંત દાખલો છે. એ વિના આ ભૂમિ પર આવું વાતાવરણ ન સર્જાય, સામૂહિક અનુષ્ઠાન ન થઇ શકે. .
ઉત્તમ ભાવના જાગે તે મુજબ વિકાસ થાય. આવું વાતાવરણ દરેક સંઘ, સમુદાયમાં કાયમ થઇ જાય તો વિકાસ ક્યાં દૂર છે ? * પૂ. આગમોદ્ધારક શ્રી સાગરજી મ. ની વાચનામાં અમારા પૂ. આચાર્ય ભગવંત મેઘસૂરિજી. પૂ. કનકસૂરિજી વગેરેએ લાભ લીધેલો છે. એ વખતે પૂજ્ય આગમોદ્ધારકશ્રીના વાચના અનેક પૂજ્યોએ સાંભળી તો આજે અનેક સમુદાયોના ગીતાર્થો વાચના આપી શકે છે. * શ્રુતનો ઉદ્ધાર માત્ર વાચનાથી નહિ થાય, જીવનમાં આગમો ઉતારવાથી થશે. કે ભગવતી સૂત્ર પર ૨૦-૩૦ મિનિટમાં મારા જેવાની બોલવાની ક્યાં શક્તિ છે ? છતાં આગમ પરની ભક્તિ બોલવા પ્રેરે છે.
આગમ એટલે પ્રાણ ! જીવન ! એના આધારે જ આપણું ભાવ જીવન
આ
સર્વજ્ઞતાની સિધ્ધિ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org