________________
ઇન્દ્રો ૬૩ હોવા છતાં અહીં બત્રીશઇન્દ્ર બતાવ્યા છે. કેમકે વ્યંતરેન્દ્રના ૩૨ ઇન્દ્રોને ઇન્દ્ર તરીકે ગણ્યા નથી.
જ્યારે તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામે ત્યારે તીર્થંકર પ્રભુના મુખમાં રહેલી દાઢા ઇન્દ્ર મહારાજા લઈ લેતા હોય છે. પછી એને સુધર્મ દેવલોકમાં સુધર્મ નામની સભામાં માણિક્ય નામનો સ્તંભ હોય છે. તેની વચમાં વજ-રન્નિના બનેલા દાભડામાં રાખતા હોય છે અને પૂજતા હોય છે.
અહીં એક જાણવા જેવી વાત મૂકી છે. અને એ દ્વારા સિદ્ધ થઈ શકે એમ છે કે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય.
એ કેવી રીતે ? એ જોઇએ.
અહીં જણાવ્યું છે કે એક યુગમાં ૬૨ પૂનમ અને અમાવસ્યા આવે. હવે એક યુગમાં પાંચ વર્ષ હોય. એક વર્ષના બાર મહિના એટલે બાર પંચા સાઇઠ થાય તો સાઇઠ પૂનમ આવવી જોઇએ પરંતુ જૈન ધર્મના પ્રાચીન ગણિત મુજબ એક યુગમાં બે વાર ડબલ મહિના આવે. એટલે બાસઠ પુનમ થાય એ વાત બરાબર પરંતુ જૈન ધર્મના
જ્યોતિષ્ક સંબંધી ગણિત પંચાંગમાં છેલ્લા પાંચમા વર્ષના અષાઢ મહિનાની પૂનમનો લય આવે છે. તો એકષઠ પૂનમ થવી જોઇએ છતાં બાસઠ જણાવી છે. આનો મતલબ એ થયો કે ગણિતપંચાંગમાં ભલે પૂનમનો ક્ષય આવે પરંતુ આરાધના પંચાંગમાં પૂનમનો ક્ષય સ્વીકાર્ય બન્યો નથી એ જણાવે છે કે પર્વતિથિનો ક્ષય-ન થાય.
યુગલિક કાળના અખ્ત થએલા સાત કુલકર, તેમના પત્ની, ચોવીશ તીર્થકર પ્રભુ, તથા તેમના માતા-પિતા, તીર્થકર પ્રભુની શિબિકાનું નામ, ૨૪ તીર્થકર પ્રભુને પ્રથમ ભિક્ષા આપનાર, ભિક્ષા સમય ભિક્ષાનો પદાર્થ, ચૈત્યવૃક્ષ પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા આદિના નામ આપવામાં આવ્યા છે.
તે પછી બાર ચક્રવર્તીના નામ, તેમના માતા-પિતા નામ, તેમના સ્ત્રીરત્નોના નામ, આપવામાં આવ્યા છે.
તેની આગળ નવ બળદેવ, નવ વાસુદેવ નવ પ્રતિવાસુદેવ આદિના પણ નામ બતાવવામાં આવ્યા છે.
અને એ પછી એ જ રીતે અર્થાત્ ઉપર જે જણાવી તે જ વિગતો ઐરાવત-ક્ષેત્રે અનુલક્ષીને આપવામાં આવી છે.
આ રીતે શ્રી સમવાયાંગ સૂત્રની સંક્ષેપમાં પરિચય જોયો...
-
ભાવનાની ભૂમિ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org