________________
ચ્છાદિક ૧૦ પ્રકારે સામાચારી, નિસર્ગ સમ્યકત્વના ૧૦ ભેદ, ભાવિ ઉત્સર્પિણીના કુલકરો અને પૂર્વ પશ્ચિમના કુલકરો તથા ૧ર દેવલોકના ૧૦ ઇન્દ્રોના મુસાફરીના વાહનોના નામ..સંસારી જીવના ૧૦ ભેદ, બાલપણું વિગેરે જીવની ૧૦ દશા બતાવી છે. આ આગમનીટીકા શ્રી અજીત સિંહના શિષ્ય શ્રી યશોદેવની સહાયથી રચી છે. અને એનું સંશોધન દ્રોણાચાર્યએ કર્યું છે...
શ્રી સમવાયાંગ સૂત્રા આ રીતે સ્થાનાંગસૂત્રની સંક્ષેપમાં સમજૂતિ આપી. બહુ જ સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. એનો વ્યવસ્થિત પરિચય આપવા માટે તો બહુ જ સમય જોઇએ જેની આપણી પાસે અછત છે. અને હવે આવે છે સમવાયાંગ સૂત્રનો પરિચય. આને પણ બહુ જ સંક્ષેપમાં સમજવું પડશે કેમકે સમયની મર્યાદા છે અને તમારા સહુના ચહેરા ઉપર પણ ઉતાવળથી પુરુ થાય એવી ઇચ્છાઓની રેખાઓ વંચાઇ રહી છે.
આ ચોથું આગમ છે. એનું નામ સમવાયાંગ છે. સમવાયનો અર્થ સમુદાય પણ થાય છે. આ આગમમાં એકથી માંડીને સાગરોપમ સુધીની વિરાટ સંખ્યામાં રહેલા પદાર્થોનું વર્ણન હોવાથી આનું નામ સમવાય છે. અને આ અગિયાર અંગો પૈકી ચોથું અંગસૂત્ર હોવાથી સમવાયાંગ સૂત્ર નામ અપાયું છે.
આ આગમમાં ઘણી ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ બધુ વર્ણન કરવા બેસીએ તો ચોમાસાના ચાર મહિના ઓછા પડે. સંક્ષેપમાં વર્ણન કરવા માટે પણ આપણી પાસે સમય નથી એટલે આ આગમમાં ખાસ ખાસ મહત્વપૂર્ણ જે બાબમો છે. એને આપણે જોવાની કોશિષ કરીએ.
દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા હજાર વર્ષે આહાર લે અને એટલા પખવાડિએ શ્વાસ લે.
ઓગણીશ તીર્થકર પરમાત્મા એવા છે જેઓએ રાજ્ય સ્વીકાર કરી-ભોગવી સંયમ જીવન સ્વીકાર્યું છે.
ત્રેવીસ તીર્થંકર પરમાત્મા એવા છે. જેઓને સવારના પહોરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી.
ત્રેવીસ તીર્થંકર પરમાત્મા એવા હતાં જેઓને પૂર્વભવમાં અગિયાર અંગનું જ્ઞાન હતું. આદિનાથ પ્રભુનો નંબર આનાથી અલગ હતો.
વાણીનું મૂલ્ય-આગમ જ ડીજીવીડી ડાન્સ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org