________________
તેમજ અગ્રબીજ વિગેરે જણાવી જીવોના ૬ ભેદ જણાવ્યા છે. પ્રાયશ્ચિતના ૬ ભેદોનું વર્ણન કરેલ છે...છ આરા તથા દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યોની ઉંચાઇ (૩ ગાઉની કાયા) આયુષ્ય (૩ પલ્યોપમ) ૬ સંઘયણ ૬ સંસ્થાનનું વિસ્તૃત વર્ણન છે. હિત અને અહિતના કારણો તથા છ દિશાએ જીવાદિની ગતિ-આ ગતિ, આહાર લેવાના ૬ કારણો અને નહિ લેવાના છ કારણો...જણાવ્યા છે. જેમ કે ૧. સુધા સહન ન થાય ત્યારે..૨. વૈયાવચ્ચ કરવા માટે...૩. ઇર્યાસમિતિનું પાલન કરવા માટે..૪. સંયમનું પાલન કરવા માટે...૫. દ્રવ્ય-પ્રાણ ટકાવવા માટે ...૬. સંકલ્પ-વિકલ્પ દૂર કરી શુભ વિચાર કરવા માટે..
આ જ કારણથી ભોજન નિષેધ છે...૧. તાવ આદિ રોગ થાય ત્યારે...૨. રાજા-સ્વજન-દેવ-મનુષ્ય-તિર્યંચે કરેલ ઉપસર્ગ સહન કરવા...૩. શીયલનું પાલન કરવા...૪ વર્ષા-ધુમ્મસ અને જીવોના ઉપદ્રવ વખતે જીવ રક્ષા માટે. ૫. તપ કરવા..૬. અત્તે સમયે શરીર છોડવા માટે...આમ આ કારણો પિંડનિર્યુક્તિ તથા પિંડવિશુદ્ધિ આદિ ગ્રંથોમાં પણ બતાવેલ છે.
છ ઋતુ અને ક્ષયતિથિ તથા વૃધ્ધિ તિથિ કઇ-કઇ છે તે કહ્યું છે...બાહ્ય તથા અત્યંતર તપના ભેદોનું વર્ણન...સંયમના ૬ વિધિ સ્થાન બતાવ્યા છે. શ્રી વીર પ્રભુનો દીક્ષા તથા મોક્ષનો સમય જણાવ્યો છે...તથા સિધ્ધનો વિરહકાલ કહ્યો છે...
ઔદાયિકભાવની વાત કરી અને કૃતિકા-આશ્લેષાના તારાઓ તેમજ ૬ પ્રદેશવાળા સ્કંધો વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે...
અધ્યયન સાતમું નૈગમાદિ ૭ નયોનુ સ્વરુપ, જંબુદ્વીપ ઘાતકીખંડ-પૂર્વ પશ્ચિમ-પુષ્કરાઈ ક્ષેત્રનું વર્ણન.
ચક્રીના ૭ એકેન્દ્રીય રત્નો અને ૭ પંચેન્દ્રિય રત્નો...૧ સેનાપતિ ૨. ગૃહપતિ ૩. પુરોહીત ૪. હસ્તિ-કુંજર ૫. અશ્વ ૬. વર્ધિક ૭. સ્ત્રીરત્નનું ૧. ચક્રરત્ન ૨. છત્ર ૩. ચર્મ ૪. મણિ પ. કાકીણી ૬. ખડગ ૭. દંડ.
દુષમ-સુષમાના ચિન્હો...આયુષ્યનો ઘટાડો ૭ ઉપક્રમ ૧. રાગ-ભય-સ્નેહ ૨. દોરડું-અગ્નિ-ભૂખ ૩. અતિ આહાર ૪. વેદના ૫. ઝેર ૬. વિજળી પડવાથી ૭. શ્વાસની રુકાવટ,
બ્રહ્મદત્તચક્રીના શરીરનું પ્રમાણ, આયુષ્ય અને ગતિનું વર્ણન કરેલ
૧
શ્રમનો થતોત-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org