________________
દરેક આત્મા સુખ ને ચાહે છે દુઃખથી કંટાળે છે.
જીવ એકલો જન્મે છે એકલો મરે છે.
કર્મનો અબાધાકાળ પૂર્ણ થતાં કર્મફલ એકલો ભોગવે છે.
આ રીતે સ્ત્રી-પુત્ર વિગેરે વિભાવોમાં મમતાભાવને ધારણ કરનાર આત્માને પરભાવથી નિજ સ્વભાવમાં સ્થિર ક૨વા ને ગાયા સૂત્ર બનાવ્યું.
આ સાંભળીને કોઇ જીવ એકાત્મવાદને વ્યાજબી ન માને માટે...તે દરેક જીવ સ્વકૃત કર્મ ફલોને જુદા-જુદા ભોગવે છે.
બીજા જીવના કર્મનો સંબંધ બીજા સાથે નથી...
આવા અનેક મુદ્દાથી આત્મા એક છે...અને આત્મા અનેક છે તે સિધ્ધ કરી બતાવ્યું છે.
આનુ નામ સ્યાદ્વાદ શૈલી છે. તેનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. ૨ જું અધ્યયન ઉદ્દેશા-૪
જીવ અજીવ આદિના ૨-૨ ભેદો તથા ૨ પદાર્થને જણાવનારા ૩૬ આલાવા છે. જ્ઞાનના ૨ ભેદથી માંડીને કાલિકાદિ સૂત્રના ૨ ભેદ સુધીના ૨૩ આલાવા છે.. ૨૫ ક્રિયામાં બે બે ભેદોનું વર્ણન છે.
ચારિત્રના ૨ ભેદ તથા પૃથ્વી આદિના બબ્બે ભેદ જણાવનાર ૨૮ આલાવા છે. ત્રસ સ્થાવરમાં ભવ્યત્વ અભવ્યત્વની ઘટના જણાવી છે. દીક્ષાથી માંડી સંલેખહિંદ સુધીની જાણકારી આપી છે.
ઉર્વોત્પન્નાદિ જીવો અહિં તથા બીજે પાપ કર્મ ભોગવે છે તેનું વર્ણન...જણાવ્યું છે. શબ્દોત્પત્તિના કારણો, સંઘાતાદિ ભેદે પુદગલનાં વિચાર, પ્રતિમાજીઓનું સ્વરૂપ તથા ભરત-એરાવતાદિ ક્ષેત્રનું અને કૂટ શાલ્મલી વૃક્ષનું તથા ગરૂડાદિ દેવોનું નિરુપણ કર્યું.. છે.
૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહોની માહિતી...બતાવી છે.
ત્રૈવેયકના દેવોના શરીરનું પ્રમાણ ૨ હાથનું છે વિગેરે...જણાવ્યું છે.
સમયથી માંડીને ઉત્સર્પિણી તથા ગામથી માંડીને રાજધાની સુધીના પદાર્થનું સ્વરૂપ જણાવનાર ૪૭ આલાવા છે..
૧૭
Jain Education International
ધ્યેયની ધરા-ખમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org