________________
ગુરુદેવે કહ્યું પેલી ગુફામાં તેઓ અભ્યાસ કરે છે...
યક્ષા આદિ સાધ્વીજીઓ ત્યાં ગયાં. સ્થૂલભદ્રજીને તેમના આગમનનો ખ્યાલ આવતાં સિંહનું રૂપ ધારણ કરી બેઠા. પોતાની વિદ્યાનો બહેનોનો ખ્યાલ આવે તે માટે. સાધ્વીજીઓ આવ્યાં. સિંહ ને જોઇ પાછા ફર્યા. ગુરુદેવને કહ્યું, “ગુરુદેવ ! ત્યાં તો સિંહ છે. મહારાજશ્રીનું શું થયું ? ભય હતો કે ક્યાંક સિંહે...
ગુરુદેવ જ્ઞાનથી જોયું. સ્થૂલભદ્ર મૂળ રૂપમાં આવી ગયા હતા. તેમણે કહ્યું જાવ, સ્થૂલભદ્ર તમને ત્યાં જ મળશે.
બે મિનીટ પહેલાં નજરે જોયું છે કે ગુફામાં કોઇ ખૂણો ખાંચરો નથી. નાનકડી ગુફા છે. ને એમાં સિંહ જ છે. પરંતુ ગુરુદેવશ્રીનાં વચનો પરની અતાગ શ્રદ્ધા... નજરે જોયેલું ખોટું હોઇ શકે. ગુરુદેવ કહે તે સાચું જ હોય.. સાતે સાધ્વીજીઓ ચાલી નીકળી.. પગમાં સહેજ પણ ઝિઝક નથી. ચહેરા પર આછો સો અવિશ્વાસ નથી...
આવી શ્રદ્ધા સાધનાનું પ્રવેશ દ્વાર બને. આવી શ્રદ્ધા સાધનાને દોડાવી શકે. નાનો સો પ્રશ્ન. મોટું ધમ્મર વલોણું. ને એ મંથનમાંથી નીકળતું શ્રદ્ધાનું અમૃત.. સ્તુત્ય પ્રયાસ
પૂજ્યપાદ, સ્વનામધન્ય, ગીતાર્થ પ્રવર, બહુશ્રુત આચાર્ય ભગવંત શ્રીમદ્ સાગરાનન્દ સૂરીશ્વરજી મહારાજાની ચિર વિદાયની અર્ધશતાબ્દી ઉજવણીના એક ભાગ રૂપે આ આગમ પરિચય વાચના શ્રેણિનો સ્તુત્ય પ્રયાસ થયો. જેમાં મને બે પવિત્ર ગ્રન્થો પર થોડુંક બોલવાનું મળ્યું.
જો કે, આ ગ્રન્થો તો છે સમુદ્ર જ્ઞાનનો. ન્યૂરને કહ્યું છે તેમ મારો આ પ્રયાસ સમુદ્રને કાંઠે છીપલા વીણવા જેવો જ હતો.
પરન્તુ મારી આગળના ને હવે પછી બોલનાર ગીતાર્થ આચાર્ય ભગવંતોની વાચનાઓ દ્વારા આપણા મહાન વ્યુત વારસાનો આપણે થોડોક પરિચય અને પ્રસાદ પામીશું અને ધન્ય બનીશું.
આયોજકોને અને પ્રેરક વિદ્વાન સુહૃદય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિ મહારાજ અને આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિ મહારાજને પૂજ્યપાદ સાગરજી મહારાજાનાં ચરણોમાં વિનમ્ર ભાવાંજલિ રૂપે આ વાચનાશ્રેણિનો વિચાર તે બદલ તેઓને સાધુવાદ.
આખરે, આખું જીવન જેમણે પવિત્ર આગમ ગ્રન્થોના સંપાદન આદિમાં વીતાવ્યું તે મહાપુરુષને આપણે બીજી કઇ અંજલિ આપી પણ શકીએ ?
ઉચ્ચારનો ઉપહાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org