SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ન રહેતુ બિર(આ હિંસા આદિ) જ ગાંઠ છે, એજ અજ્ઞાન (મોહ) છે, એ જ મૃત્યુ છે અને એ જ નરક છે) મને આ સૂત્ર કયા લયમાં મળ્યું તેની વાત કરું. એક ચિત્ર મારી બંધ આંખોની સામે ઝબૂકી ઉઠ્યું. મા પાણી ભરવા ગઇ છે. નાનકડો દીકરો ઘરમાં છે. પેટ વડે ચાલી શકતું બાળક અબોધ, ભોળું શિશુ ને ઘરમાં નીકળ્યો સાપ. ભોળી આંખોમાં અચરજ ભરાયું. કાળું કાળું, સુંવાળું સુંવાળું આ શું છે ? પકડવા માટે એ બાજુ ધીમે ધીમે જાય... એ જ વખતે મા પાણી ભરી પાછી ફરે. સાપ અને બાળક વચ્ચે થોડાક ફીટનું જ અંતર. મા ધ્રુજી ઉઠી. શું થશે ? અને એ વખતે એણીના હૃદયમાં કેવું લાગણીઓનું તોફાન ઉઠે. મારા લાલ ! તારે ત્યાં જવાનું નથી. નહિ, નહિ, નહિ... આ જ લય મને સમજાયો આ સૂત્રમાં... મનમાં સહેજ દુર્ભાવ ઉઠે કોઇના પ્રત્યે તો તરત આ સૂત્ર યાદ આવી જાય, અરે, આ હિંસા તો ગાંઠ છે, મોહ છે, મૃત્યુ છે અને નરક છે. નહિ, મારા લાલ ! તારે આ માર્ગે જવાનું નથી. સૂત્રકૃતાંગ સૂત્ર સૂત્ર કૃતાંગ સૂત્રનો પ્રારંભ સાધકનો મઝાના પ્રશ્નથી થાય છે HિE વંઘનું નીરો ? વિ વા ના તિલકૂદ પ્રભુએ બન્ધન કોને કહ્યું છે ? અને શું જાણીને આ બન્ધન તોડી શકાય ? ભીતર પડધાય એવો પ્રશ્ન છે પ્રભુ મહાવીર કોને બન્ધન કહે છે ? સાધક, આ પ્રશ્ન દ્વારા, સાધનાના પ્રવેશ દ્વાર ને ચીંધે છે. પોતાની બુદ્ધિ પરની સંપૂર્ણ અનાસ્થા પછી જ શ્રદ્ધાનો પ્રદેશ શરૂ થાય છે. અને શ્રદ્ધા જ તો સાધનાનું પ્રવેશ દ્વાર છે ને નજરે જોયેલું ખોટું હોઇ શકે.. અહીં પેટા સવાલ થઇ શકે કે સાધનાના પ્રારંભ માટે શ્રદ્ધાની કેવી સઘનતા જરૂરી મનાય. જવાબ મેળવવા આપણે થોડીક સદીઓ પાછળ જઇએ. મહામુનિ સ્થૂલભદ્રજી ગુફામાં અધ્યયન કરવા ગયા છે. યહાજી આદિ સાત સાધ્વીજી ભગવતીઓ ગુરુદેવને પૂછે છે, વન્દના કર્યા પછી કે, ગુરુદેવ ! ભાઇ મહારાજ સાહેબ ક્યાં છે ? આયારનો આધાર-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy