________________
વિધિ પર મુનિ ચાલે છે ત્યારે...? કેટલો તો આનંદ હોય છે. ડગલે, ડગલે નિરવધિ આનંદ.
નિરપેક્ષતા પાછળ છે ને ! જીવનની પણ અપેક્ષાની પાર છે પ્રભુનો મુનિ.
નદી ઉત્તરણાનાં સૂત્રોને આ સન્દર્ભમાં જોઇએ. મોટી નદી નાવ વિના પાર થઇ શકે તેમ નથી અને સામી બાજુ એક જ ક્ષેત્રમાં વધુ સમય રહેવાય નહિ, તેથી નાવ દ્વારા પણ મુનિ નદીને ઉતરી સામી બાજુ જાય.
કોઇ ભાવુક હૃદયવાળો નાવિક મુનિરાજને કાંઠે ઉભેલ જોઇ દૂર રહેલી પોતાની નાવને મુનિ પાસે લાવે તો મુનિ તેમાં ન બેસે. ઘણી બધી વિધિઓ ત્યાં દર્શાવી છે, જે વાંચતાં હૃદય અહોભાવથી છલકાઇ ઉઠે કેવી અનુપમ સાધના અમને મળી છે !
નૌકામાં બેઠા પછી એવું પણ બને કે નાવ ભંવરમાં સપડાય, હાલક ડોલક થાય અને નાસ્તિકો બેઠા હોય અને કોઇ કહી દે કે આ મૂડિયાને કારણે જ આ તકલીફ પડી રહી છે એને જ ઉચકીને ફેંકી દઇએ... મૂનિ આ શબ્દો સાંભળે. પણ ભીતર કોઇ પ્રતિક્રિયા ન હોય. સાક્ષીભાવની ટોચ પર તેઓ છે.
કદાચ એવું પણ બને કે કોઇએ આવું કહ્યા પછી બીજાઓ પ્રતિવાદ કરે કે ના, આવું તો થાય નહિ. સંતને પીડા તો કેમ પહોંચાડાય ? આ સાંભળે તોય સહેજે રતિ ન થાય. કે ન રાગ દ્વેષ કોઇ પ્રત્યે થાય.
એમ લાગે કે મુનિને ઉચકીને ફેંકી દેવા બધા સમ્મત થઇ ગયા છે. તો મુનિ કહે કે હું મારી જાતે જ નદીમાં જતો રહીશ... કેવી વિચારણા ! લોકો મારા શરીરને ફેંકે તો પાણીના જીવોની કેવી કિલામણા થાય !
ધીરે ધીરે પોતાના શરીરને નદીમાં પ્રવાહિત થવા દે મુનિ. નદીનો પ્રવાહ, એ પછી જેમ લઇ જાય તેમ શરીરને લઇ જવા દે, ન હાથ હલાવે, ન પગ.. નદી કાંઠે ફંકશે શરીરને તો કાંઠે અને દરિયામાં લઇ જશે તો દરિયામાં. શરીર પ્રત્યેની કેવી નિરપેક્ષ દશા !
વાંચતાં આંખોમાંથી ઘસારાબંધ આંસૂ વહી જાય “પ્રભુ ! આવી નિરપેક્ષદશાની આંશિક ઝલક પણ અમને ક્યારે મળશે ? કયા ... રે..? પ્રભુનો આ પાવન સ્પર્શ... પ્રભુની વાત્સલ્યમયી વાણીનો સ્પર્શ... અસ્તિત્વ રોમાંચિત થઇ ઉઠે.
એક સૂત્ર છે , ૨૩ નવે, ન તુ મોરે, તુ મારે,
આ વિરોધનો વિરોધ-આગમ
***
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org