________________
આદ્રકુમારનો ગોશાળા સાથે, ત્રિદંડી સાથે એનો હરિતતાપસો સાથે કેવો વાદ. સંવાદ થયો એનું વર્ણન કરવામાં આવ્યું છે.
આદ્રકુમારના પૂર્વભવની કથની પણ આમ રજૂ થયેલી છે. અધ્યયન સાત નાલંદીય
આમાં ગૌતમ સ્વામી અને ઉદકશ્રમણ વચ્ચે કેવી પ્રશ્નોત્તરી થયેલી એનું બિયાન છે. આ રીતે આચારાંગ અને સૂત્રકતાંગ સૂત્રની સંક્ષિપ્ત પરિચય વાચના જોઇ...
GALAXACACACACACA આ વિષે પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી વિશેષ પ્રકાશ પાથરશે એને પણ આપણે માણીએ.
જેનાથી દતવૈશિકનું ભક્તિયોગના ઉગાતા પૂજ્ય પદ્મ વિજય મહારાજની મહામહિમ શ્રી. પાર્શ્વનાથ પ્રભુનાં ચરણોમાં પેશ થયેલી સ્તવનાની આ પંક્તિ હું રટતો હતો – “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ.” સ્તવનાની પંક્તિ હોઠથી સરતી હતી અને આંખોમાંથી અશ્રુબિન્દુ ઝરતા હતા. વેદનાની તીવ્ર સણક ભીતર ઉપડેલી પ્રભુ ! પદ્મવિજયજી મહારાજ તમારા મોટા ભક્ત એટલે તમે તમારો પાવન સ્પર્શ એમને આપો... અમને કેમ નહિ ?
પાંચ મિનીટ પછી, પવિત્ર આચારાંગ સૂત્ર મારા હાથમાં હતું. જે પૃષ્ઠ ખૂલ્યું અને જે સૂત્ર સામે દેખાયું, એ વાંચતાં જ અસ્તિત્વ રણઝણી ઊડ્યું. “વાહ ! પ્રભુએ પોતાનો શબ્દ હાથ મારી પીઠ પર પસવાર્યો હતો ને !'
સૂત્ર આ હતું અUITIણ જે સોફા , માઈIIT ને વિફાઈ|| ગd તે ના રોતુ ‘(કેટલાક સાધકો આજ્ઞાધર્મ સ્વીકાર્યા પછી પણ અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય છે. કેટલાક સાધકો આજ્ઞાપાલનમાં હતોત્સાહ હોય છે. પરંતુ તને આવું ન હો !
(તને આવું ન હો !) પ્રભુ મને કહી રહ્યા હતા કે બીજા સાધકો ભલે અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય અથવા આજ્ઞામાં હતોત્સાહ હોય, તું એવો નથી. કારણ કે તું મારો પ્રીતિપાત્ર છે. પ્રભુના આ શબ્દો. આ મીઠો, મધુરો પ્રભુનો સ્પર્શ... રોમાંચ પૂરા શરીરે. આંખે હતી અશ્રુધારા.
સૂરદાસ યાદ આવેલા નિશિ દિન બરસત નેને હમારે.' આંખોના બાકાશમાં
-* -
વિચારોમાં વિવેક-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org