________________
અધ્યયન આઠમું સપ્તકક • સ્વાધ્યાય શી રીતે કરવો ? • અંડિલ ક્યાં જવું ?અને છેલ્લે સપ્તસપ્તતિકા નામની ચૂલિકામાં મહાવીર પ્રભુનું જીવન ચરિત્ર દર્શાવ્યું છે.
આ રીતે આચારાંગ સૂત્રની સંક્ષિપ્ત પરિચય વાચના થઇ હવે આપણે જોઇશું સૂત્રકૃતાંગ સૂત્રનો પરિચય.
શ્રી સૂયગડાંગ સૂત્ર
આના પણ બે શ્રુતસ્કંધ છે.
પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધ સમય નામનું પ્રથમ અધ્યયન • આમાં શરૂમાં નિક્ષેપાનું વર્ણન છે. • નાસ્તિકમત કે જે ધર્મ મોક્ષ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક કશું જ માનતો નથી તેવા
મતનું તર્ક દલીલથી ખંડન કરવામાં આવ્યું છે. અન્યદર્શનીઓની જગતની ઉત્પતિ ઇશ્વર થકી માનવાની વાતનું ખંડન કરવામાં આવ્યું છે અને કર્મની દાર્શનિકતાની અનિવાર્યતા જણાવી છે. કર્મ માનો તો જ જીવન અને જગતની ગતિવિધિમાં સંગતતા સંભવી શકે અન્યથા નહિ ! અન્યદર્શનમાં જણાવેલ વાક્ય 'પુત્રરા તિર્નાસ્તિ'નું આમાં તર્કથી ખંડન
કરવામાં આવ્યું છે. વૈતાલિય નામનું બીજું અધ્યયન • આમાં વૈરાગ્યનું વર્ણન કરેલું હોવાથી આનું નામ લેતાલિય રાખેલ છે. • અથવા વૈતાલિય નામના છંદમાં આના શ્લોકો હોવાથી વેતાલિય અધ્યયન નામ
રાખેલ છે. • અહીં વેતાલિય છંદ એટલા માટે કે સૂરની પણ અસર હોય છે. જેવું વર્ણન કરવું
હોય તેવા સૂરમાં છંદ ગાવાથી તેવી અસર ઉભી થાય છે. આથીસ્તો પરમાત્મા ઉઝ માલકોષ રાગમાં દેશના દેતો હોય છે ને ?
સત્યનો આદિત્ય-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org