________________
પ્રથમ શ્રુતસ્કંધના આઠ અધ્યયનમાં પ્રથમ શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન છે.
અહીં શસ્ત્ર એટલે હિંસાનું સાધન અને પરિજ્ઞા એટલે એનો બોધ જ્ઞાન હિંસાના સાધનનો બોધ થાય અને એવા સાધનોથી વિરામ પમાય માટે પ્રથમ અધ્યયનનું આ નામ છે. આમાં બીજી પણ ઘણી જાતજાતની વિગતો છે. એ આપણે સંક્ષેપમાં જોઇશું. • દુનિયામાં દિશાઓની ગણતરી મેરુપર્વતની નીચે સમભૂતલા નામની પૃથ્વીના કેન્દ્રમાં
આઠ રુચક પ્રદેશો આવેલા છે ત્યાંથી સમસ્ત વિશ્વની દિશાઓનું ગણિત થાય છે તે દિશાઓના નામ, સ્વરુપ અને આકાર આદિનું વર્ણન આમાં છે. જંબૂદ્વીપમાં બધાયને માટે એક જ નિયમ કે મેરુપર્વત ઉતરમાં આવે અને લવણ
સમુદ્ર દક્ષિણમાં આવે. • આ સાથે અઢાર પ્રકારની આત્માને લગતી ભાવદિશા પણ સમજાવી છે. • છ પ્રકારના જીવની રક્ષામાં જ મુનિપણું રક્ષાએલું છે બીજા અધ્યયનનું નામ લોકવિજય • કપાયોને જીતવાથી શું ફાયદો થાય એનું વર્ણન આમાં છે. • આઠ મહાવર્ગાનું સ્વરૂપ કેવું છે એ પણ જણાવ્યું છે એની સાથે આઠ કર્મના
સ્વરૂપનો સ્ફોટ પણ દર્શાવ્યો છે. મનને બગાડનાર બિનજરૂરી વિચારો છે એમ જણાવી એવા વિચારોથી ફારંગ
થવાની પ્રેરણા કરી છે. • પ્રભુની આજ્ઞામાં ન રહેનાર આત્મા આ ભવ તો બગાડે છે પરભવને પણ પાયમાલ
બનાવે છે. ભાનભૂલીને ભોગો ભોગવતાં આત્માને જ્યારે રોગો કેનડે છે ત્યારે એને કોઇ બચાવી શકતું નથી એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઉદાહરણથી સ્પષ્ટ કરી છે.
સાધુએ આહાર કેવી રીતે કરવો એની વિધિ બતાવી છે. • કામ કામી અને નિષ્કામીના સ્વરૂપનું સુંદર દર્શન કરાવ્યું છે • સાધુ એટલે જે સંસારથી કંટાળલો અને કર્મને છેદનારો હોય. ત્રીજું અધ્યયન શીતોષ્ણ પરિષદ
અધ્યયનનું નામ છે શીતોષણ પરિષદાધ્યયન ! આ નામ રાખવા
4
ગાધરોનો આધાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org