________________
જ્ઞાતિ ઉંચામાં ઉંચી કહેવાય. અને પરમ પવિત્ર આગમનું શ્રવણ કરવાનું છે. તો માથું ઢાંક્યા વિના રહેવાય જ કેમ ?
પટનામાં આપણા દહેરાસરની નજીકમાં ગુરૂદ્વાર છે. અમે કોતરણી જવા ગયા. ગુરૂદ્વારમાં પ્રવેશ કરવો હોય તો પગ ધોવા પડે અને મસ્તક ઢાંકવું પડે. તો પછી મહાન એવા આગમ પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઇએ ?
મુંબઇથી એક સિંધીભાઇ ઉપાશ્રયમાં આવ્યા... ગજવામાંથી રૂમાલ કાઢી તેનો ટોપી જેવો આકાર કરી માથા ઉપર ઢાંક્યો... આજ જણાવે છે કે એક સિંધીભાઇ માટે પણ ધર્મસ્થાનનું કેટલું મહત્ત્વ છે..! ઉઘાડા માથે ક્યાં સ્થાનમાં જવાય ? સ્મશાનમાં તો આપણે આ પવિત્ર મંગલ સ્થાનને શું અમંગલ કરશે ?
૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર પ.પૂ.આ. હરિભદ્રસૂરિ મ.ના મુખમાંથી નીકળેલા આ શબ્દો !
कत्थ अम्हारिसा प्राणी, दूसमा दोसदूसिया
हा अणाहा कहं हंता जइ न हंता जिणागमो. દુષમકાળના દોષથી દૂષિત એવા અમારા જેવા અનાથી દુર્ભાગી આત્માનું શું થાત ! જો આ જિનેશ્વર ભગવાનના આગમો પ્રાપ્ત ન થયા હોત તો..!
જો પૂ. હરિભદ્રસૂરિ મ.સા. આવો સદભાવ અહોભાવ રાખે છે. તો આપણા પણ રોમરોમમાં કેવું બહુમાન.. અહોભાવ... ઉછળવો જોઇએ ?
પૂજ્યશ્રીની આ રીતની પ્રેરણાથી વાચનાના કાર્યક્રમ સુધી દરેક શ્રોતાઓએ સાફો ટોપી કે સાડી દ્વારા માથું ઢાંકેલું રાખવાનો વિવેક જાળવેલો.
૪૫ આગમની શરુમાં અગિયાર આગમોમાં સર્વપ્રથમ અંગ છે. આચારાંગ શરૂના આ આગમ ઉપર આમ તો પૂ. યશોવિજયસૂરિ મ. પરિચયવાચના ફરમાવાના છે પણ સમયની અલ્પતાના કારણે તેઓશ્રી પધારે તે પૂર્વે મુખ્ય મુખ્ય મુદ્દા પર હું થોડું વિવેચન જણાવી દઉં છું. ૪૫ આગમમાં શરૂના અગિયાર અંગમાં પ્રથમ અંગ છે શ્રી આચારાંગસૂત્ર.
આમાં ખાસ કરીને આચારની મહત્તા દર્શાવી છે. જિનશાસન વિચારોનું પણ ઉગમ બિન્દુ આચાર માને છે. વ્યવહાર માત્ર વિચારથી નહિ આચારથી ચાલે છે. એવી મહત્તા જણાવવા જ સૌ પ્રથમ આચારાંગ સૂત્ર મૂક્યું છે.
આ આચારાંગના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. ઝ બીજા શ્રુતસ્કંધના આઠ અધ્યયન છે.
અરિહંતનો અક્ષર દેહ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org