________________
( શ્રી બાલારાંગ સૂત્ર-શ્રી સૂયગડાંગ સૂત્ર)
પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી
ભૂમિકા : આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી
આગમ જ્યોતિર્ધર, આગમ સમ્રાટ, આગમોદ્ધારક પૂજ્ય આનંદસાગરસૂરિ મ. ની ૫૦ મી સ્વર્ગગમન વર્ષે તેઓશ્રીને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે આપણે ૪૫ આગમની પરિચય વાચનાનું આયોજન કરેલ છે, લગભગ સત્તર દિવસ સુધી આ સિલસિલો ચાલશે રોજ અલગ અલગ સમુદાયના અલગ અલગ પૂજ્યશ્રીઓ પધારશે અને કોક દિવસે ૧ આગમ ક્યારેક બે ક્યારેક ત્રણ તો ક્યારેક પાંચ આગમોનો પરિચય શ્રવણ કરવાનું સદ્ભાગ્ય મળશે, સમયસર આવી જવા ધ્યાનમાં લેશો અને આદર, બડમાવ બહુમાન મર્યાદાનુસાર શ્રવણ કરશો તો આ મંત્રતુલ્ય શબ્દો તમારા જીવનમાં ગજબનાક પરિવર્તન લાવી શકશે.
આગમો પ્રત્યે આપણા પૂર્વજોએ કેવો આદર, કેવો સત્કાર કેવું બહુમાન અને કેવી કુરબાની આપી છે એનો ઇતિહાસ અછતો નથી.
ચાલો, આપણે પણ એ કક્ષાએ પહોંચવાનો આયાસ કરીએ.
પ્રત્યેક આગમોના નામો શબ્દો મંત્રાક્ષર તુલ્ય છે. જે શાસ્ત્ર સાંભળવું છે તેના પ્રત્યે બધ્યાન આદર સદભાવ ન હોય તો અસર પણ ન થાય... માટે ખૂબ જ બહુમાનપૂર્વક...આદર... પ્રેમથી આગમનું શ્રવણ કરવું.
અસલના વખતમાં ભારતમાં વાણિયા હોય કે આદિવાસી હોય કે ગમે તે કોમના હોય પણ માથુ ખુલ્લું રાખે જ નહિ. આ આપણી સંસ્કૃતિ હતી. તમે કોઇ
મુલ્લા પાસે જાવ તો માથું ઢાંક્યા વિના કુરાન પઢે જે નહિ. શીખની પાસે જાવ તો A ગ્રંથરાજના દર્શન પણ માથું ઢાંક્યા વિના ન કરે. અઢાર કોમમાં તમારી
-
ગુણની ગંગોત્રી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org