________________
પૂર્વ પુરુષો પ્રત્યે અમારી પ્રાર્થના કે અમે આગમોના વધુ ગૂઢ અર્થો કાઢી શકીએ.
પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી
થોડીવાર પહેલા નાના મહારાજે આટલી 'સભામાં ઉદબોધન કર્યું તેથી સાનંદ આશ્ચર્ય થાય.
અહીં બીજા પણ બાળ મુનિઓ છે.
આ એક કાળ એવો હતો કે બાળ મુનિઓને દીક્ષા હોતી આપી શકાતી. એવો કાયદો પણ પસાર થવાનો હતો. તે કાળમાં આનો પ્રચંડ વિરોધ કરનારા આ. પૂ. સાગરજી અને પૂ. રામચનદ્રસૂરિજી મહાપુરુષો હતા ને તે સફળ પણ બન્યો.
અમારા પૂ. ગુરુદેવ ઘણીવાર નામ લેતા, તેમાં બે નામ મુખ્ય હતા: પૂ. સાગરજી અને પૂ. રામચનદ્રસૂરિજી.
એમના પ્રભાવથી જ આ બાલ મુનિઓને આપણે જોઇ શકીએ છીએ.
“વિદ્વાન તો નથી પણ વિધવા સાધ્વીજીઓ મળશે.” એમ પૂ. ગુણસાગરસૂરિજી ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવતા શ્રાવકોને કહેતા.
૨૦ વર્ષ પહેલા પ્રતિજ્ઞાપૂર્વક ૪૫ આગમોનું અધ્યયન ચાલુ હતું, ત્યારે અમારા પૂ. ગુરુદેવ કહેતા: આજે આગમો મળે છે, તેમાં મુખ્ય ઉપકાર પૂ. સાગરજી મહારાજનો છે.
આજના શુભ દિવસે સંકલ્પ કરીએ : ૪૫ આગમોનું એકવાર તો જરૂર વાંચન કરીશું. શ્રાવકવર્ગ સંકલ્પ કરે : શ્રવણ કરવાનો. બાળકોને ધાર્મિક વિદ્યાપીઠોમાં ભણાવવાનો.
| આજે દિગમ્બર સમાજમાં શ્રાવકો જોવા મળે, પણ શ્વેતામ્બરમાં શ્રાવકો વિદ્વાન ન જોવા મળે. વિદ્વાન શ્રાવકો માટેના આગમોમાં વિશેષણો આવે છે ઃ સંદ્ધઠ્ઠા આદિ
| ગુરુકુળ, શ્રાવિકાશ્રમ, મહેસાણા સંસ્થા વગેરે ઘણા વિદ્યાધામો છે. એમને ઉત્તેજન આપીશું તો જ પૂ. સાગરજી મહારાજને સાચી અંજલિ આપી ગણાશે.
છેલ્લા ૧૫-૧૫ દિવસ સુધી ધ્યાન-દશામાં રહેવું કેટલું અઘરું કહેવાય ? જ્ઞા| |સંપાયા' - પંચસૂત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org