SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આગમો તો તેઓશ્રીને કંઠસ્થ હતા. એમના વ્યાખ્યાન તો આગમ તત્ત્વોનો | ખજાનો હતો. હજુ વ્યાખ્યાન-સાહિત્ય અપ્રકાશિત પણ ઘણું છે. તેઓશ્રી નાનકડી જીંદગીમાં બધું પૂરું કરીને ગયા. ટીમ હોવા છતાં આપણે તે કામ કરી શકતા નથી. - પૂ.પં. ભદ્રંકર વિ.મ. નું સાહિત્ય વાંચું તો થાયઃ આ શૈલી કોની ? પૂ. રામચન્દ્રસૂરિની તો છે જ નહિ. પૂ. ભુવનભાનુસૂરિજી તો નાના હતા. તો આ પ્રદાન કોનું? | મારા ગુરુદેવ પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. કહેતાઃ હું આઠ વર્ષનો હતો ત્યારે મોટા બાપા (ભોગીભાઇએ) પાટણમાં ૧૯૭૩માં પૂ. સાગરજીને વાચનાઓ માટે ૩ વર્ષ રાખેલા. આઠ વર્ષનો હું, રોજ ત્યાં બેઠો રહેતો. તેઓ લેખન-વાંચનમાં રકત રહેતા. જ્ઞાનની ઝળહળતી જ્યોત લાગતી. | નિશ્ચિત પૂ. સાગરજીની પાસે બેઠા હતા તેથી જ તેમની અસર એમના સાહિત્યમાં ઝીલાયેલી છે. o ભૂરાભાઇ પંડિત (સરસ્વતી પુસ્તક ભંડારવાળા) કહેતાઃ શાસનના ચાર સ્તંભ થયા૧) મંદિર-જીર્ણોદ્ધાર કરનાર પૂ. નેમિસૂરિજી. ૨) આગમ-જીર્ણોદ્ધાર કરનાર પૂ. સાગરજી મ. ૩) દીક્ષા-જીર્ણોદ્ધાર કરનાર પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચનદ્રસૂરિજી. ૪) શ્રાવક-જીર્ણોદ્ધાર કરનાર પૂ. વલ્લભસૂરિજી. આ ચાર શાસન સ્તંભોએ બહુ જ કામ કર્યું છે. પાછળના વારસદારો માત્ર સંભાળે એટલી જ અપેક્ષા નથી, એને આગળ પણ વધારે. હેમચનદ્રસાગરસૂરિજીના આચાર્યપદ વખતે મેં લખ્યું ઃ જે પરંપરામાં તમે આવો છો, તે મુજબ ૪૫ આગમોને ધારણ કરીને ભાવાચાર્ય બનજો, એવી અપેક્ષા રાખું છું. આગમના વારસદારોને કહેવા માંગું છું : જેમ અભયસાગરજીએ સાચવ્યું તેમ સાચવજો. mational Podarsonal Private li se only www.janelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy