________________
આગમો તો તેઓશ્રીને કંઠસ્થ હતા.
એમના વ્યાખ્યાન તો આગમ તત્ત્વોનો | ખજાનો હતો.
હજુ વ્યાખ્યાન-સાહિત્ય અપ્રકાશિત પણ ઘણું છે.
તેઓશ્રી નાનકડી જીંદગીમાં બધું પૂરું કરીને
ગયા. ટીમ હોવા છતાં આપણે તે કામ કરી શકતા નથી. - પૂ.પં. ભદ્રંકર વિ.મ. નું સાહિત્ય વાંચું તો થાયઃ આ શૈલી કોની ? પૂ. રામચન્દ્રસૂરિની તો છે જ નહિ. પૂ. ભુવનભાનુસૂરિજી તો નાના હતા. તો આ પ્રદાન કોનું? | મારા ગુરુદેવ પૂ.પં. ભદ્રંકરવિજયજી મ. કહેતાઃ હું આઠ વર્ષનો હતો ત્યારે મોટા બાપા (ભોગીભાઇએ) પાટણમાં ૧૯૭૩માં પૂ. સાગરજીને વાચનાઓ માટે ૩ વર્ષ રાખેલા. આઠ વર્ષનો હું, રોજ ત્યાં બેઠો રહેતો. તેઓ લેખન-વાંચનમાં રકત રહેતા. જ્ઞાનની ઝળહળતી જ્યોત લાગતી.
| નિશ્ચિત પૂ. સાગરજીની પાસે બેઠા હતા તેથી જ તેમની અસર એમના સાહિત્યમાં ઝીલાયેલી છે.
o ભૂરાભાઇ પંડિત (સરસ્વતી પુસ્તક ભંડારવાળા) કહેતાઃ શાસનના ચાર સ્તંભ થયા૧) મંદિર-જીર્ણોદ્ધાર કરનાર પૂ. નેમિસૂરિજી. ૨) આગમ-જીર્ણોદ્ધાર કરનાર પૂ. સાગરજી મ. ૩) દીક્ષા-જીર્ણોદ્ધાર કરનાર પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચનદ્રસૂરિજી. ૪) શ્રાવક-જીર્ણોદ્ધાર કરનાર પૂ. વલ્લભસૂરિજી.
આ ચાર શાસન સ્તંભોએ બહુ જ કામ કર્યું છે. પાછળના વારસદારો માત્ર સંભાળે એટલી જ અપેક્ષા નથી, એને આગળ પણ વધારે.
હેમચનદ્રસાગરસૂરિજીના આચાર્યપદ વખતે મેં લખ્યું ઃ જે પરંપરામાં તમે આવો છો, તે મુજબ ૪૫ આગમોને ધારણ કરીને ભાવાચાર્ય બનજો, એવી અપેક્ષા રાખું છું.
આગમના વારસદારોને કહેવા માંગું છું : જેમ અભયસાગરજીએ સાચવ્યું તેમ સાચવજો.
mational
Podarsonal Private li se only
www.janelibrary.org