________________
શાસનદેવીએ સુરિજીને નિ:શંક બનાવવા ઓઢણી આપીને કહેલું સૌથી પહેલી પ્રત આ ઓઢણી (રત્નજડિત) થી વીંટજો. એના પૈસામાંથી પ્રતો લખાવજો.
| એ ઓઢણીને ઘણા પૈસાથી તે વખતના ગુર્જર રાજાએ ખરીદેલી, ને તેની રકમથી એ પ્રતો
લખાયેલી. ૩) ત્રીજો તબક્કો : ૧૦૦ વર્ષ પહેલા હસ્તલિપિ જાણવાની પરંપરા લુપ્ત પ્રાયઃ થઇ. પૈસા ખાતર હસ્ત-પ્રતો વહેંચાવા લાગી.
એક પ્રસંગ તમને કહું : સુરતમાં એક માણસ ગૂઢકો (હસ્તપ્રત) વેંચવા આવ્યો. પેલાએ ૩૫ હજાર રૂપિયા માંગ્યા.
પૂ. સાગરજીએ કહ્યું : “૩૩ હજાર અપાવી શકું.'' પેલાએ કહ્યું : “હું જોઉં.'
પછી બે કલાક પછી બોલાવ્યો ને કહ્યું : ૩૫ હજારમાં આપ. પેલાએ કહ્યું “એક અંગ્રેજ ૩૬ આપીને લઇ ગયો.'
આ રીતે એટલા ગ્રન્થો બહાર ગયા કે ન પૂછો વાત.
એટલે પૂ. સાગરજી મહારાજે આગમ-સુરક્ષાના નિર્ણયને વેગવંત બનાવ્યો. એ ટાઇમમાં ખૂબ જ વિરોધ થયોઃ આગમ છપાવાય નહિ. આગમ સાધુ સિવાય કોઇથી જોવાય જ નહિ.
જેનો વિરોધ થાય એ જ સર્વ સ્વીકૃત થાય. વિરોધ ન થાય તેને બળ જ ન મળે. વિરોધથી જ બળ પૂરું પડે છે.
એકલા હાથે સટીક ૪૫ આગમો છપાવ્યા. બીજા પણ ઘણા ગ્રન્થો છપાવ્યા. એમની પ્રસ્તાવના મૂળ ગ્રન્થ કરતાં પણ કઠણ હોય. ખાલી પ્રસ્તાવના લખતાં પણ કેટલી વાર લાગી હશે ? બધી પ્રસ્તાવનાઓના સંગ્રહરૂપે એક અલગ પુસ્તક પણ છપાયું છે.
અભયદેવસૂરિજીના ગામમાં જ જન્મેલા આ સૂરિજીએ ટીકા તો ન લખી, પણ પ્રસ્તાવના પણ અદ્ભુત છે. એમના વ્યાખ્યાન પણ અદ્ભુત હતા.
| અમારા પૂ. મુક્તિચન્દ્રસૂરિજી કહેતા : સુત્રને પહોળું કરવું હોય તો પૂ. રામચનદ્રસૂરિજીના વ્યાખ્યાન, ઊંડું કરવું હોય તો પૂ. સાગરજીના વ્યાખ્યાન વાંચવા જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org