SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવીએ સુરિજીને નિ:શંક બનાવવા ઓઢણી આપીને કહેલું સૌથી પહેલી પ્રત આ ઓઢણી (રત્નજડિત) થી વીંટજો. એના પૈસામાંથી પ્રતો લખાવજો. | એ ઓઢણીને ઘણા પૈસાથી તે વખતના ગુર્જર રાજાએ ખરીદેલી, ને તેની રકમથી એ પ્રતો લખાયેલી. ૩) ત્રીજો તબક્કો : ૧૦૦ વર્ષ પહેલા હસ્તલિપિ જાણવાની પરંપરા લુપ્ત પ્રાયઃ થઇ. પૈસા ખાતર હસ્ત-પ્રતો વહેંચાવા લાગી. એક પ્રસંગ તમને કહું : સુરતમાં એક માણસ ગૂઢકો (હસ્તપ્રત) વેંચવા આવ્યો. પેલાએ ૩૫ હજાર રૂપિયા માંગ્યા. પૂ. સાગરજીએ કહ્યું : “૩૩ હજાર અપાવી શકું.'' પેલાએ કહ્યું : “હું જોઉં.' પછી બે કલાક પછી બોલાવ્યો ને કહ્યું : ૩૫ હજારમાં આપ. પેલાએ કહ્યું “એક અંગ્રેજ ૩૬ આપીને લઇ ગયો.' આ રીતે એટલા ગ્રન્થો બહાર ગયા કે ન પૂછો વાત. એટલે પૂ. સાગરજી મહારાજે આગમ-સુરક્ષાના નિર્ણયને વેગવંત બનાવ્યો. એ ટાઇમમાં ખૂબ જ વિરોધ થયોઃ આગમ છપાવાય નહિ. આગમ સાધુ સિવાય કોઇથી જોવાય જ નહિ. જેનો વિરોધ થાય એ જ સર્વ સ્વીકૃત થાય. વિરોધ ન થાય તેને બળ જ ન મળે. વિરોધથી જ બળ પૂરું પડે છે. એકલા હાથે સટીક ૪૫ આગમો છપાવ્યા. બીજા પણ ઘણા ગ્રન્થો છપાવ્યા. એમની પ્રસ્તાવના મૂળ ગ્રન્થ કરતાં પણ કઠણ હોય. ખાલી પ્રસ્તાવના લખતાં પણ કેટલી વાર લાગી હશે ? બધી પ્રસ્તાવનાઓના સંગ્રહરૂપે એક અલગ પુસ્તક પણ છપાયું છે. અભયદેવસૂરિજીના ગામમાં જ જન્મેલા આ સૂરિજીએ ટીકા તો ન લખી, પણ પ્રસ્તાવના પણ અદ્ભુત છે. એમના વ્યાખ્યાન પણ અદ્ભુત હતા. | અમારા પૂ. મુક્તિચન્દ્રસૂરિજી કહેતા : સુત્રને પહોળું કરવું હોય તો પૂ. રામચનદ્રસૂરિજીના વ્યાખ્યાન, ઊંડું કરવું હોય તો પૂ. સાગરજીના વ્યાખ્યાન વાંચવા જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy