SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે આગમોની સુરક્ષા માટે પૂ. સાગરજીએ આ આગમમંદિર બનાવ્યું. જીવન આગમમય બનાવીને જીવીએ એ જ પૂ. સાગરજી મ. ને સાચી અંજલિ આપી ને કહેવાશે. એ મહાપુરૂષોના વિષયમાં જેટલું કહીએ { તેટલું ઓછું છે. એમણે કપડવંજ-પાટણ વગેરે સ્થળોએ બે-ચાર વાર આગમ વાચનાઓ ગોઠવેલી, તેમાં અમારા પૂ. કનકસૂરિજીએ પણ લાભ લીધેલો. આ આગમમાં ભગવાન છે એમ સમજાય તો સ્વાધ્યાય કરતાં પણ ભગવાન યાદ આવે. ભગવાન જુદા છે જ નહિ, પણ ભક્તની ભૂલના કારણે ભગવાન જુદા લાગે છે. આગમ પાઠ કરીશું તો ચોક્કસ પૂ. સાગરજીનો આત્મા પ્રસન્ન બનશે. • પૂ. પં. ભદ્રંકર વિ. મ. ના પ્રશિષ્ય ધુરંધરવિજયજી : જીવંતા જગ જસ નહિ, જસ વિણ કા જીવંત ? જે જસ લેઇ આતમા, રવિ પહેલા ઊગત.'' -શ્રીપાળ-રાસ, પૂતળીના મુખે ઉપા. યશોવિજયજી જીવતાં જ નહિ, તેનું કોઇ મૂલ્ય નથી. યશ હોય છે તેનું નામ સૂર્યોદયથી પહેલા ગવાય છે. પૂ. સાગરજી મહારાજે વૃદ્ધોને સમજાવી-સમજાવીને હસ્તલિખિત પ્રતોમાં સચવાયેલા આગમો હતા, તેને બહાર કાઢ્યા. આ મોટો ઉપકાર છે એમનો. શાસનમાં આગમ સ્થિર-સુરક્ષિત રહે એવા હેતુથી ત્રણ તબક્કે મોટા પરિવર્તન થાય છે. ૧) વીર સં. ૯૮૦માં દેવર્કિંગણિએ વલભીપુરમાં શ્રમણ સંમેલન કરી આગમો ગ્રન્થસ્થ કર્યા. ૨) વિક્રમની નવમી-દસમી સદીમાં શીલાંકાચાર્ય અને કપડવંજમાં સ્વર્ગવાસી થયેલા આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ આગમો પર ટીકાઓ લખી. શાસનદેવીથી સંકેત પ્રાપ્ત થયેલો દુરુહ આગમો પર ટીકા લખો. Son International sonal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy