________________
એ રીતે આગમોની સુરક્ષા માટે પૂ. સાગરજીએ આ આગમમંદિર બનાવ્યું.
જીવન આગમમય બનાવીને જીવીએ એ જ પૂ. સાગરજી મ. ને સાચી અંજલિ આપી ને કહેવાશે.
એ મહાપુરૂષોના વિષયમાં જેટલું કહીએ { તેટલું ઓછું છે. એમણે કપડવંજ-પાટણ વગેરે સ્થળોએ બે-ચાર વાર આગમ વાચનાઓ ગોઠવેલી, તેમાં અમારા પૂ. કનકસૂરિજીએ પણ લાભ લીધેલો.
આ આગમમાં ભગવાન છે એમ સમજાય તો સ્વાધ્યાય કરતાં પણ ભગવાન યાદ આવે.
ભગવાન જુદા છે જ નહિ, પણ ભક્તની ભૂલના કારણે ભગવાન જુદા લાગે છે.
આગમ પાઠ કરીશું તો ચોક્કસ પૂ. સાગરજીનો આત્મા પ્રસન્ન બનશે. • પૂ. પં. ભદ્રંકર વિ. મ. ના પ્રશિષ્ય ધુરંધરવિજયજી :
જીવંતા જગ જસ નહિ, જસ વિણ કા જીવંત ? જે જસ લેઇ આતમા, રવિ પહેલા ઊગત.'' -શ્રીપાળ-રાસ, પૂતળીના મુખે ઉપા. યશોવિજયજી
જીવતાં જ નહિ, તેનું કોઇ મૂલ્ય નથી. યશ હોય છે તેનું નામ સૂર્યોદયથી પહેલા ગવાય છે.
પૂ. સાગરજી મહારાજે વૃદ્ધોને સમજાવી-સમજાવીને હસ્તલિખિત પ્રતોમાં સચવાયેલા આગમો હતા, તેને બહાર કાઢ્યા.
આ મોટો ઉપકાર છે એમનો.
શાસનમાં આગમ સ્થિર-સુરક્ષિત રહે એવા હેતુથી ત્રણ તબક્કે મોટા પરિવર્તન થાય છે.
૧) વીર સં. ૯૮૦માં દેવર્કિંગણિએ વલભીપુરમાં શ્રમણ સંમેલન કરી આગમો ગ્રન્થસ્થ કર્યા.
૨) વિક્રમની નવમી-દસમી સદીમાં શીલાંકાચાર્ય અને કપડવંજમાં સ્વર્ગવાસી થયેલા આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ આગમો પર ટીકાઓ લખી. શાસનદેવીથી સંકેત પ્રાપ્ત થયેલો દુરુહ આગમો પર ટીકા લખો.
Son International
sonal & Private Use Only
www.jainelibrary.org