________________
જીવનમાં ગુરુ બહુમાન જાગે એ જ મોક્ષ. આઠ કર્મોનો ક્ષય થઇને મોક્ષ થશે, ત્યારે ત્યારની વાત. એ પહેલા આવો મોક્ષ પ્રગટાવવાનો છે. ગુરુને ભગવાન તરીકે જોવાના છે. ભગવાનને ઓળખાવનાર ભગવાનથી પણ ચડી જાય. ગુરુ ન હોત તો ભગવાન ક્યાંથી જાણી શકાત ?
| ગુરુ બહુમાનથી મોક્ષ શી રીતે ? મોક્ષ તો કર્મક્ષયથી થાય ? કર્મક્ષયથી થતો મોક્ષ ગુરુ-બહુમાનથી જ મળશે માટે જ ગુરુ બહુમાનને જ મોક્ષ કહ્યો છે. આટલી વાત જાણ્યા પછી ગુરુ પ્રત્યે અપાર બહુમાન ઉત્પન્ન થવું જોઇએ.
ગુરુ-ભક્તિના પ્રભાવથી આપણો આત્મા ભગવાન સાથે જોડાઇ
જાય છે.
////
જે ભગવાન પ્રતિમામાં છે, તે જ ભગવાન ગુરુમાં પણ છે. ન હોય એમ બને જ શી રીતે ?
મુનિરાજના માનસમાં હંસની જેમ સિદ્ધો રમી રહ્યા હોય છે.
| સિદ્ધો સિદ્ધશિલામાં ભલે રહ્યા, પણ મુનિ જ્યારે ધ્યાન ધરે ત્યારે તેમના હૃદયમાં પધારે જ..
૦ હમણાં આગમ-મંદિરના દર્શન કરતાં પૂ. સાગરજીના દર્શન નથી થતા ? હૃદયમાં આગમો કોતરાઇ જાય પછી દિવાલ પર કોતરવાની શી જરૂર ? એમ તમને થતું હશે, પણ જે આગમના સ્પર્શથી લોઢા જેવો મારો આત્મા સુવર્ણ જેવો બન્યો તેનું દર્શન બીજા પણ શા માટે ન કરે ? આગમો કોતરાવવા પાછળ પૂજ્યશ્રીની આવી ભાવના હતી..
• કલિકાલમાં બે જ ભગવાન છે. જિનાગમ : બોલતા ભગવાન. જિનમૂર્તિ ઃ મૌન ભગવાન. આગમ પર જેટલો આદર વધશે તે પ્રમાણમાં ભગવાન મળશે.
જે આગમોને ટકાવવા આપણા પૂર્વાચાર્યોએ પ્રાણો પણ આપવા તૈયારી દર્શાવેલી એમને કેટલા ધન્યવાદ આપીએ ?
| જેસલમેરમાં તાડપત્રીઓ શા માટે એકઠી થયેલી છે ? કોઇના હુમલા ત્યાં જલ્દી ન આવી પહોંચે માટે.
or Pers
Use.On
www.jainelibrary.org