________________
પ્રાર્થના કરીઃ પ્રભુ ! તું મને બળ આપ.
પછી એમણે કલમ ચલાવી. આજે પણ એ ટબો વિદ્યમાન છે.
| આને કહેવાય જ્ઞાન માટેની પૃષ્ઠભૂમિકારૂપ ધ્યાન !
છે લ્લા સમયે ૧૫-૧૫ દિવસ સુધી
ધ્યાનાવસ્થામાં રહેલા, તે તો ખ્યાલ છે, પણ એમનું આખું જીવન ધ્યાનમય હતું એનો ખ્યાલ છે ? આજે તો જ્ઞાન-ધ્યાનની પરંપરા વિલીન બનવા આવી છે.
પૂ. જ્ઞાનવિમલસૂરિજી કહે છે : વીંઝે છે શુદ્ધ મુજ ચેતના...”
મહાવિદેહમાં ભલે જઇ ન શકાય, પણ વિદેહ અવસ્થા પામીને અહીં જ આપણી અંદર મહાવિદેહ પ્રગટ કરી શકાય.
ભક્તિનગરી એ જ પુંડરીકિણીનગરી. મારો સાહિબો આત્મદેવ તે જ સીમંધરસ્વામી છે. આવું પૂજ્ય સાગરજીએ પ્રેક્ટીકલ બનાવેલું. રોજ જ્ઞાન-ધ્યાનમાં ડૂબીને જ એમને સાચી અંજલિ આપી શકાય.
પૂ. ધુરંધરવિજયજી મ. પૂ. કલાપૂર્ણસૂરિજીના પ્રતિનિધિ તરીકે પૂજ્ય ગણિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી તથા પૂજ્ય ગણિ શ્રી મુનિચન્દ્રવિજયજી બન્ને પાંચ-પાંચ મિનિટ બોલશે. - પૂ. ગણિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી :
મંત્ર-મૂર્તિ-આગમ એ ઉત્કૃષ્ટ સાધના પદ્ધતિ છે. મંત્ર-મૂર્તિ-આગમ દ્વારા પ્રભુનું ભાવમિલન કરી શકીએ. (પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ. પધારતાં વક્તવ્ય અધૂરું રહ્યું.) પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી ઃ
•શાસનનાયક ભગવાન મહાવીરદેવના અનુગ્રહથી તીર્થની સ્થાપના થઇ છે ત્યારથી ગણધરોથી લઈને આજ સુધી પરંપરા મળી છે, તેમાંના એકેક મહાપુરુષોને યાદ કરતાં આપણે પવિત્ર બની શકીએ. ભગવાનની જેમ ગુરુને યાદ કરવાથી પણ પવિત્ર બની શકાય.
શાસ્ત્ર કહે છે : 'ગુરુ-વહુHIો મોગ્લો !'
Hon International
sonal & Private Use One
www.jainelibrary.org