________________
અમર બનાવ્યા છે. તેઓ ભલે વિદ્યમાન નથી પણ તેઓની પ્રતિકૃતિ અને કૃતિ વિદ્યમાન છે.
આગમની સુંદર પરંપરા ચલાવનાર પૂજ્યશ્રી હતા. જેના વિના જીવવાની ગમ ન પડે તે આગમ છે.
પ્રતિકૃતિ સુંદર પરંપરા ચલાવનાર પૂજ્યશ્રી હતા. જેના વિના જીવવાની ગમ ન પડે તે આગમ છે. પ્રતિકૃતિ કદાચ વિલીન થઇ જશે, પણ આગમ મંદિર રૂપી આ કૃતિ ક્યાં જશે?
એમના ગુણગાન કરીને ઉઠી જઇએ તે કરતાં એકાદ ગુણ ગ્રહણ કરીએ, અમે આગમનો અભ્યાસ કરીએ, તમે શ્રવણ કરો તે સાચી ભાવાંજલિ કહેવાશે.
.पू. बाल मुनिश्री आगमसागरजी: सारे लोग जानते हैं कि यह तस्वीर किनकी है ? (થોડુંક બોલતાં અટકી ગયા, તો પણ લોકો ખુશ થઇ ગયા.) પૂ. આચાર્ય યશોવિજયજી
પૂ. સાગરજી જ્ઞાનનો સમુદ્ર હતા જ, ધ્યાનનો પણ સમુદ્ર હતા. દર્શનનો લાભ નથી મળ્યો, પણ તસ્વીરમાં ધ્યાનસ્થ મુદ્રા જોતાં ઝૂકી ગયેલો. વરૂપ રમણતાની અનુભૂતિ દેખાઇ.
દશવૈકાલિકનો એક શ્લોક છે : णाणमेगग्ग चित्तो अ ठिओअ ठावइ परं। सुयाणि अहिज्जित्ता, रओ सुअ-समाहिअ ||
જ્ઞાનને વરુપ-રમણતામાં બદલવાનું કાર્ય તેમણે કરી બતાવ્યું. ટીમવર્ક માટે વિરાટ કાર્ય કહેવાય તેવું કાર્ય એકલા હાથે શી રીતે કરી શક્યા હશે ?
લાગે છે : ધ્યાનની પૃષ્ઠ ભૂમિ પર પ્રભુના જ્ઞાનને અવતરિત કર્યું હતું. ધ્યાન વિના પ્રભુનું જ્ઞાન ઝીલી નથી શકાતું.
જ્ઞાનવિમલસૂરિજીએ આનંદઘનજી પર સ્તબક લખવાનું નક્કી કર્યું, પણ લાગ્યું વિવેચના જામતી નથી. તરત જ સમજાયું: આનંદઘનજીની પ્રસાદી ? ધ્યાન વિના નહિ સમજાય.
સુરતમાં સૂરજમંડન પાર્શ્વનાથનું છ મહિના ધ્યાન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org