________________
ગુણવાન ગુરુવરની ગુણ-ગાન-ગંગા
TI
સં. ૨૦૫૬ અષાઢ વદી OTી ના રોજ / (પૂ. સાગરજી મ. ની ૫૦મી પુણ્યતિથિ નિમિત્ત).
પાલિતાણા સ્વાધ્યાય મંદિરના પ્રાંગણમાં જ્યારે અનેક પૂજ્યશ્રીઓએ ગુરુ-ગુણ-ગાનની ગંગા વહાવી...
આગમ-મંદિર પ્રાંગણ અષાઢ વદ-૩૦ ૩૧-૭-૨૦૦૦, સોમવાર પૂ.આ. શ્રી સાગરાનંદસૂરિજીના ગુણાનુવાદ પૂજ્ય આ. શ્રી સુર્યોદયસાગરસૂરિજી :
ગમે તેટલી ગાળો કે પત્થરનો વરસાદ વરસે પણ પૂ. સાગરજીની a ધીરતા અને વીરતા ગજબની. એમનું રૂંવાડુંય ન ફરકે. શંખેશ્વરમાં અભય( સાગરજીની દીક્ષા વખતે અમે નજરે જોયું. ઓટલા પર સ્વસ્થતાપૂર્વક બેઠેલા એ પૂજ્યશ્રી આજે પણ મને યાદ આવે છે.
આચાર્ય પદ પછી પણ તેઓ પોતાના માટે આચાર્ય આનંદસાગરસૂરિજી હોતા લખતા. કોરણમાં કહેતાઃ વ્યવહાર ખાતર આચાર્યપદવી લેવી પડી, પણ ખરેખર મારામાં પાત્રતા નથી. માત્ર બે જ આગમ મંદિરમાં (પાલીતાણાસુરત) આચાર્ય આનંદસાગર એમ લખેલું છે. એ પણ ભાવિના ઇતિહાસકારો ભૂલ ન કરે માટે.
o પૂ. સાગરજી માં સાગર જેટલા ગુણો હતા. બોલનાર ઘણા છે, સમય સીમિત છે, માટે મારું વક્તવ્ય અહીં જ પુર્ણ કરું છું.
- પૂજ્ય આ. જગવલ્લભસૂરિજી ના શિષ્ય પૂ. મુનિશ્રી દર્શનવલ્લભવિજયજી:
आग लगी आकाशमें, जर-जर पडे अंगार | यह शासन न होता अगर, जल मरता संसार ||
સાગરને ચમચીથી ન ઉલેચી શકાય. પૂ. સાગરજીના ગુણાનુવાદ કરનાર હું કોણ ? ન જોયા છે, ન જાણ્યા છે, પણ એમની કૃતિએ એમને
International
Fum Personal & Private Use Only
www.jainelibrary