SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ આ આગમમાં પંચાચારના વિગતવાર વર્ણન સાથે સંયમ માર્ગ ચાલનારાને લાગતા દોષોનું નિરાકરણ કરવા માટે જરૂરી વ્યવસ્થા તંત્રનું માર્મિક સ્વરૂપ છે. તેથી જ આને સ્વતંત્ર આગમ માન્યું છે. નિશીથઃ મધ્યરાત્રિને વખતે યોગ્ય અધિકારી શિષ્યોને ખાનગીમાં જે આગમ ભણાવાય એવું મહત્ત્વપૂર્ણ આગમ છે. છેદસૂત્ર ૨/૬ શ્રી દશાશ્રુત સ્કંધ - ૩૫ આ આગમનું બીજું નામ “આચાર દશા” પણ છે. આ આગમમાં નીચે મુજબ વર્ણન છે. * ૨૦ અસમાધિ સ્થાન ૧૧ શ્રાવકોની પ્રતિમાઓ ક ૧૧ શબલ દોષ • • ૧ર સાધુની પ્રતિમાઓ (ચારિત્રને મલિન કરનારી) + ૩૦ મહામોહનીય કર્મ બાંધવાના ચીજોનું વર્ણન કારણો ૩૩ ગુરુની આશાતના ૯ નિયાણા આદિ ક ૮ આચાર્યની સંપદા આ ઉપરાંત પ્રભુ મહાવીર ભગવંતનું જીવન ચરિત્ર છે. આ સૂત્રનું આઠમું અધ્યયન શ્રી કલ્પસૂત્ર બારસાસૂત્ર છે. જે પ્રતિવર્ષ ધામધૂમથી પર્યુષણ પર્વમાં વંચાય છે. છેદસૂત્ર ૩/૬ શ્રી બૃહકલ્પ - ૩૬ આ આગમ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી પૂ. ભદ્રબાહુવામીજી મ. સંકલિત કરેલું છે. આમાં સાધુના મૂળ ગુણ અને ઉત્તરગુણોને લગતા પ્રાયશ્ચિતો નો અધિકાર છે. મુખ્યત્વે સાધુ સાધ્વીના આચારને લગતું આ આગમ છે. છબસ્થતાના કારણે થતા કે લાગતા દોષોનું શોધન કરવા માટેનો વ્યવસ્થિત વિચારણા આ આગમ પૂરી પાડે છે. પરિચય : આ આગમમાં છ ઉદ્દેશા છે. નિર્યુક્તિ ૬રપ શ્લોક પૂ.આ. ભદ્રબાહુસ્વામી લઘુભાષ્ય ૭૬૦૦ શ્લોક શ્રી સંઘદાસગણીકૃત બૃહદ ભાષ્ય ૧૨૦૦૦ શ્લોક વિશેષ ચૂર્ણિ૧૧૦૦૦ શ્લોક શિષ્યની ધારણા-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy