________________
મૂળ શ્લોક ૧૭૬ પ્રકીર્ણક ૪/૧૦ શ્રી ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક – ૨૭
આમાં ચાર આહારનો ત્યાગ કરી અનશન માટેની પૂર્વ તૈયારી જણાવી છે. સાથે ભક્તપરિજ્ઞાના પ્રકારો અનશન માટેની યોગ્યતા આદિનું વિવેચન છે.
આમાં પ્રસંગે ચાણક્યમંત્રીની સમાધિપૂર્વક અંતિમ આરાધના અને સુબંધુએ કરેલ દુર્દશાનું સમભાવે સહન આદિની વાત સુંદર રીતે રજૂ કરી છે.
મૂળ શ્લોક ૨૧૫
આના પર પૂ.આ. ગુણરત્નસૂરિ મ. ની અવચૂરી છે. ' પ્રકીર્ણક ૫/૧૦ શ્રી નંદુલ વૈચારિક પ્રકીર્ણક - ૨૮
આમાં વૈરાગ્યભાવને દઢ કરનારી ઘણી બાબતો વિચારાઇ છે. ગર્ભાવસ્થા, આયુષ્યની ૧૦ દશા, ૧૦૦ વર્ષના આયુમાં કેટલું ખાવા પીવા છતાં તૃપ્તિ ન થાય તેનો આંકડો, સંઘયણ સંસ્થાનનું સ્વરૂપ શરીર અને સ્ત્રીના સાહજીક અશુચિભાવનું રોમાંચક વર્ણન આદિ બાબતો છે.
મૂળ શ્લોક ૫૦૦
પૂ. વિજયવિમલગણીની ટીકા પણ છે. ' પ્રકીર્ણક ૬/૧૦ શ્રી સંસ્કારક પ્રકીર્ણક – ૨૯
આમાં છેલ્લો સંથારાનું માર્મિક વર્ણન છે. અંતિમ આરાધના ક્ષમાપનાની આદર્શ વિધિ સાથે આવી ઉત્તમ આરાધનાના બળે પ્રાપ્ત થતા પંડિતમરણની મહત્તા દર્શાવી સંખ્યાબંધ મહાપુરુષોના દાખલા ટાંક્યા છે. જેઓ એ કે ખૂબ જ વિષમ સ્થિતિમાં પણ પંડિતમરણ આરાધેલું.
ટીકા ૧૧૦ અંચલ આ. ભુવનતુંગસૂરિ મૂળ શ્લોક + ૧૫૫ કુલ
ર૬૫ શ્લોક પ્રમાણ પ્રકીર્ણક ૭/૧૦ શ્રી ગચ્છાચાર પ્રકીર્ણક - ૩૦
આમાં સુવિહિત સાધુઓની પરંપરા જાળવનાર ગચ્છની આદર્શ મર્યાદાઓનું વર્ણન છે.
ગુરુકુળવાસની મહત્તા દર્શાવવા સાથે સ્વચ્છંદવાદને રોકવા પર ભાર જો મૂકેલ છે.
અર્ટનો વિસ્તાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org