________________
નકગતિમાં ગયા. આ વર્ણન ઉપરથી આ આગમનું નામ નરકની આવલી
પડયું છે. આ આગમનું બીજું નામ કલ્પિકા પણ છે.
ઉપાંગ સૂત્ર ૯/૧૨
શ્રી કલ્પાવતંસિકા સૂત્ર
૨૦
આ આગમ અનુત્તરોપપાતિક દશાનું ઉપાંગ છે. મહારાજા શ્રેણિકની કાલ આદિ ૧૦ પુત્રો (જેઓનું વર્ણન નિરિયાવલિકા આગમમાં છે.) ના પદ્મ, મહાપદ્મ આદિ ૧૦ રાજકુમારોએ પ્રભુ મહાવીરના ચરણોમાં ત્યાગ, તપ અને સંયમની સાધના ક૨ી દેવલોકમાં ગયા આદિ વિગતો વિસ્તારથી આ આગમમાં જણાવાઇ છે.
ઉપાંગ સૂત્ર ૧૦/૧૨ શ્રી પુષ્પિકાસૂત્ર - ૨૧
આ આગમ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ઉપાંગ તરીકે છે તેમાં ચંદ્ર સ્વયં વિશાલ પરિવાર અને અદભૂત સમૃધ્ધિ સાથે પ્રભુ મહાવીરદેવ ભગવંતને વંદનાર્થે આવ્યાની હકીકત, ૩૨ નાટક કર્યાની તેમ જ તેના પૂર્વ ભવની વાત જણાવી છે.
વધુમાં સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા દેવી આદિ નવ વ્યક્તિઓની રોમાંચક પૂર્વ જન્મની કહાણી સાથે માહિતી આપી છે.
૧૯૨
=
--
ઉપાંગ સૂત્ર ૧૧/૧૨ શ્રી પુષ્પચૂલિકા સૂત્ર - ૨૨
આ આગમ શ્રી વિપાક સૂત્રનું ઉપાંગ છે. તેમાં આત્મ કલ્યાણના માર્ગે સ્વચ્છંદ રીતે ચાલનારની કેવી દૂર્દશા થાય છે તેનો ખૂબ સુંદ૨ ચિતાર બતાવ્યો છે. આ વિષયને લગતી શ્રી, હ્રી, ધૃતિ આદિ ૧૦ દેવીઓના પૂર્વ જન્મની રોચક કહાણી માર્મિક રીતે વર્ણવી છે. તેમજ આ ૧૦એ દેવીઓ પૂર્વજન્મમાં પ્રભુ પાર્શ્વનાથ ની શિષ્યાઓ હતી. સંયમમાં શીથિલ બનીને કેવી રીતે કર્તવ્યભ્રષ્ટ બની વગેરે હકીકત વ્યવસ્થિત રીતે વર્ણવી છે.
Jain Education International
ઉપાંગ સૂત્ર ૧૨/૧૨ શ્રી વૃષ્ણિદશા સૂત્ર - ૨૩
આ આગમ શ્રી દૃષ્ટિવાદના ઉપાંગ તરીકે છે. તેમાં વૃષ્ણિવંશના અને વસુદેવ કૃષ્ણના વિડલબંધુ બળદેવના નિષધ વગેરે ૧૨ પુત્રોએ અખંડ બ્રહ્મચારી બની પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા સ્વીકારી સર્વાર્થસિદ્ધિ નામે શ્રેષ્ઠ દેવલોકમાંશી રીતે ઉપજ્યા ? વગેરે હકીકત સુંદર શબ્દોમાં જણાવી છે.
૮ થી ૧૨ ઉપાંગોનો સંક્ષિપ્ત પરિચય
૧. નિરયાવલિકા ૧૦ ૨. કલ્યાવર્તલિકા
::
શ્રેણી
અધ્યયનો છે. ૧૦ અધ્યયનો છે.
For Personal & Private Use Only
૧૪ પૂર્વનું અપૂર્વ પર્વ-આગમ
www.jainelibrary.org