________________
(૪૫. આગમ સારાંશ-માહિતી
પ.પૂ. પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા.
પરમતારક નવકાર નિષ્ઠ ગીતાર્થ મૂર્ધન્ય આગમ વિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ.સા. દ્વારા ૪૫ આગમોનું અવગાહન થયું. એમાં દરેકે દરેક આગમની જે માહિતી ઉપલબ્ધ થઇ એનું સ્વહસ્તાક્ષરમાં આલેખન કરેલું એ માહિતી અહીં વિશેષ ઉપયોગી લાગવાથી એ આખીની આખી નોંધ અહીં રજૂ કરવામાં આવે છે. '
૧૧. અંગ સૂત્રોની માહિતી
શ્રી આચારાંગ સૂત્ર ૧ અંગસૂત્ર ઃ ૧/૧૧
આ આગમમાં જીવનશુધ્ધિનું તત્ત્વ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. પાવીર: પ્રથમ ઘર્મ:નું જીવન સૂત્ર અપનાવવાની સફળ તરકીબો આ આગમમાં જણાવી છે. જીવનનું સ્તર ઊંચું લાવવા માટે સર્વ ભૂતાત્મભાવ પર ખૂબ ભાર આપ્યો છે. છ જીવનિકાયની જયણા અને આચાર શુધ્ધિનું વિશદ વિવેચન આ આગમમાં છે પરિચય :
આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયનો છે.
આ આગમ ઉપર નીચે મુજબનું સાહિત્ય મળે છે.
વૈરના વળામણા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org