________________
૫) અર્વાધિકાર ૬) સમવતાર.
૨) નિક્ષેપ - નિક્ષેપના ત્રણ ભેદો છે. ૧) ઓધનિષ્પન્ન ૨) નામનિષ્પન્ન ૩) સૂત્ર આલાપક નિષ્પન્ન.
(૩) અનુગમ – અનુગમના બે ભેદ છે ૧) સૂત્ર અનુગમ ૨) નિયુક્તિ અનુગમ વલી નિયુક્તિ અનુગામના ત્રણ પેટાભેદ. ૧) નિક્ષેપ નિયુક્તિ ર) ઉપોદ્યાત નિયુક્તિ ૩) સૂત્રસ્પર્શિક નિયુક્તિ.
૪) નય - છેલ્લે ગ્રંથમાં નયની ચર્ચા આવે છે.
નય સાત છે ૧) નગમ ૨) સંગ્રહ ૩) વ્યવહાર ૪) ઋજુસૂત્ર પ) શબ્દ ૬) સમભિરૂઢ ૭) એવંભૂત નય.
એવંભૂત નય ઇન્દ્ર શબ્દનો જે અર્થ થાય. તદનુરૂપ ક્રિયા કરતો હોય તેને જ ઇંદ્ર કહેવાય.
મૌન હોય ત્યારે જ મુનિ કહેવાય - આ એવંભૂતનયની દૃષ્ટિ છે. આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયાનું યુદ્ધ ચાલે છે. છેલ્લે જ્ઞાનમય અને ક્રિયાનયની વાત આવે છે.
જ્ઞાન - જાણે બધુ પણ કરે કંઇ નહિ. ક્રિયાવાદી - કરે બધુ પણ જાણે કંઇ નહિ.
પાંગળો અને આંધળો - જ્ઞાની પાંગળો છે. ક્રિયાવાળો આંધળો છે. જેમાં એક જંગલમાં ભડભડતી આગ લાગી છે. આંધળો અને પાંગળો બંને જંગલને પાર કરવા અસમર્થ છે. પણ બને ભેગા થઈ પાંગળો આંધળાના ખભા પર બેસી ગયો. અટવીને પાર કરી ગયા. તેમ માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી સંસારરૂપી અટવીને પાર ન કરાય. પરંતુ જ્ઞાન અને ક્રિયાના સુભલ સમન્વયથી સારી રીતે આ સંસાર રૂપી ભયંકર અટવીને પાર કરી મોક્ષની પ્રાપ્તિ સુકર બને છે.
નિર્જરાનું નિર્જર-આગમ
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org