________________
જગતમાં “આવશ્યક” શબ્દ જેટલી રીતે વપરાતો હોય તે બધાનું અલગ અલગ દ્વારા દ્વારા વર્ણન કરી. તેનો બોધ કરાવી પછી છેલ્લે કહે કે અહીં આપણને કયા “આવશ્યક”નું પ્રયોજન છે ?
એ જ પ્રમાણે શ્રુત શબ્દ -
શ્રત એટલે સાંભળેલું થાય. સુય શબ્દનો અર્થ ગ્રુત થાય છે અને સુય શબ્દની સંસ્કૃત છાયા સૂત્ર થાય. આમ સુય પદ શ્રુત અને સૂત્ર બંનેના અર્થનું બોધક છે સૂત્ર એટલે ગૂંથાયેલું” થાય. સૂત્ર એટલે સૂતર અર્થ પણ થાય. રેશમનું સૂતર વિગેરે ઘણા પ્રકારનું સૂતર આવે. વળી તે પાંચ પ્રકારનું છે. ૧) અંડજ ર) વડજ ૩) કીટ ૪). વાળજ ૫) વલ્કલ.
એમાં વળી કીટજના પણ પાંચ પ્રકાર છે.
કોઇ ખાવાની ચીજ હોય ત્યાં કીડા લાળ મૂકે તેમાં તાંતણાની જાળ હોય. તેમાંથી સૂતર બનાવે તે ચીનાઇ સૂત્ર કહેવાય.
આમ “સુય’ શબ્દના જેટલા અર્થ હોય તેનું વર્ણન કરે અને પછી છેલ્લે અહીં કોનો અધિકાર છે ? તો પરમાત્માએ કહેલા “શ્રુત” નો જ અધિકાર છે. એજ લેવાનું એ પ્રમાણે જણાવે.
સ્કંધ - એ જ રીતે અંધ શબ્દ. સ્કંધ શબ્દ પણ અનેક રીતે વપરાય છે. પરમાણુના સમૂહને પુદગલસ્કંધ કહેરાય. હાથી ઘોડા પાયદળ તલવાર આદિના સમૂહરૂપ સેનાને પણ સ્કંધ કહેવાય. સ્કંધ એટલે સાંધો પણ કહેવાય. આ રીતે સ્કંધ શબ્દનું અનેક રીતે વર્ણન કરીને પછી છેલ્લે જણાવે અહીં તો “શ્રુતનો જે સમૂહ” તે જ સ્કંધ શબ્દથી ઇષ્ટ છે.
હવે અનુયોગના મૂળ ચાર વાર છે. ૧) ઉપક્રમ ૨) નિક્ષેપ ૩) અનુગમ ૪) નય.
૧) ઉપક્રમ - ઉપક્રમના પણ અલગ અલગ અર્થ થાય છે. ઉપક્રમ એટલે સમીપમાં લાવવું. આ કાર્યનો ઉપક્રમ કરવાનો તો અહીં ઉપક્રમનો “આરંભ” અર્થ થશે. આના આયુષ્યનો ઉપક્રમ થયો. અહીં ઉપક્રમનો અર્થ “નાશ થવું” થાય.
વળી તે ઉપક્રમ ૧) નામ ૨) સ્થાપના ૩) દ્રવ્ય ૪) ક્ષેત્ર ૫) કાળ ૬) ભાવથી ૬ પ્રકારે છે. વળી તેમાં આગમથી નો આગમથી અનેક પેટાભેદો છે. તમે સૂત્ર બોલો પણ ઉપયોગ નથી. તો તે આગમથી કહેવાય. વિગેરે વિગેરે...
ઉપક્રમના ૬ ભેદો છે. ૧) આનુપૂર્વી ૨) નામ ૩) પ્રમાણ ૪) વક્તવ્યતા
આશ્રવનો પરાભવ-આગમ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org