________________
જાય. પણ હંમેશા સાવકી “મા” થી સાવચેત રહે છે. સાવકી “મા” ને મોંઢા પર કહી દે - મારા બાપા મારા માટે તેને લઇને આવ્યા છે. પછી મને ન સાચવે તે ન ચાલે-તેની નવી મા નાની છે. પફ પાવડર શણગાર સજવામાં સમય જાય. એટલે નાના છોકરાને સાચવવા સમય ન મળે. •
એકવાર પૂનમ રાત્રી - રોહક નવી “મા” ને કહે કે જો તું મને બરાબર સાચવે નહિ તો હું પણ તને બતાવી દઇશ. મા કહે જા હવે શું કરી લેવાનો હતો ? એટલે પૂનમની રાત્રીએ રોહક તેના પિતાને કહે છે કે જુઓ જુઓ.. એ વરંડો ઓળંગીને કોઇ જતુ રહ્યું. આમ પિતાના કાનમાં ફૂંક મારી. એકવાર વહેમ જીવનમાં આવે એટલે સંબંધમાં ઓછાશ આવી જાય. બે ભાઇબંધની દોસ્તી તોડાવવી હોય તો કાનમાં ફૂંક મારો. દોસ્તી તૂટી જાય. આ બાજુ પિતા “નવી મા” ની ઉપેક્ષા કરે છે. નવી મા ને ખ્યાલ આવી ગયો કે આ બધા રોહકના કારસ્તાન છે. રોહક “નવી મા” ને કહે મેં તને કહ્યું હતું ને કે તું મને બરાબર સાચવ ? છેવટે “નવી મા” પાસે બરાબર ધ્યાન રાખવાનું સાચવવાની ચેલેંજ લીધી. બીજી પૂનમે રાત્રે રોહક દોડતા દોડતા પોતાનો પડછાયો જ બતાવતા પિતાને કહે જુઓ જુઓ પેલો પુરુષ ચાલ્યો. પિતા હસવા માંડ્યા. આ તો તારો જ પડછાયો છે રોહક કહે, પેલી પૂનમે પણ આ જ પડછાયો જોયો હતો. આજ પડછાયાને ભાગતા જોયો હતો. અને પિતાના મનમાંથી વહેમ નીકળી ગયો. અને “નવી મા” સાથે યથાવત્ ફરી પિતાનો વ્યવહાર ચાલુ થયો.
નાનો છોકરો નાવા ધોવાનું બધુ કરે. પણ જમવાનું પપ્પા જોડે જ. મમ્મી કદાચ મને મારી નાંખે તો. પપ્પાને થોડી મારી નાંખે ? એટલે પપ્પા ખાય તે જ ખાય. રોહક એક વાર ઉજેણી નગરીમાં આવે છે. ત્યાં નદીના કિનારે રેતીમાં આખી ઉજેણી નગરી ચિતરેલી છે. નગરશેઠ સેનાપતિ રાજમહેલ આખુ નગર બધુ જ એકઝેટ આબેહુબ ચિતરે છે. એટલામાં રાજા ત્યાંથી પસાર થાય છે. એટલે રોહકે કહ્યું, અરે, રાજકુમાર, આ માર્ગે ન જાઓ. તમે જોતાં નથી. આ રાજદરબાર છે. રાજાએ નીચે ઉતરીને જોયુ તો ઉજેણી નગરીને ચિતરેલી જોઇને છક થઇ જાય છે. રાજાને ૪૯૯ મંત્રી છે. પણ ૪૯૯માં કોઇ મુખ્ય મંત્રી ન હતો. આખી નવકારવાળી હોય પણ મેરૂ ન હોયતો ? રાજા રોહકને પૂછે છે તે પહેલા કોકવાર આ નગરી જોઇ છે ? રોહકે - ના, પહેલી વાર જ જોઇ છે. રાજા રોહકની વૃદ્ધિ ઉપર ઓવારી જાય છે. રાજાએ તેનું નામ સરનામું આદિ લઇ લીધુ.
એકવાર રાજાએ રોહકના ગામવાસીઓને કહ્યું - તમારી પશ્ચિમનું વન
ઉદારતાનો ઉદ્ઘોષ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org